વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીમાં ઝુલતા પૂલના હતભાગીઓના મોક્ષાર્થે ૧૧ કુંડી ગાયત્રી હવન યોજાયો


SHARE













મોરબીમાં ઝુલતા પૂલના હતભાગીઓના મોક્ષાર્થે ૧૧ કુંડી ગાયત્રી હવન યોજાયો

મોરબીમાં ઝુલતાપૂલના મૃતકોના આત્માની શાંતિ અર્થે ૧૧ કુંડી ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ દુર્ઘટનાની પ્રથમ માસિક તિથી એટ્લે કે તા. ૩૦ ના રોજ  ઝૂલતાપૂલના મૃતકોના આત્માની શાંતિ માટે ગાયત્રી હવન રાખવામા આવ્યો હતો અને બહેનો સહિતના લોકોએ હવનમાં આહુતિ આપી હતી

ઝુલતાપૂલની દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે જાગૃત મહિલા ગ્રુપ અને સામજિક કાર્યકર સતીશભાઈ કાનાબાર દ્વારા એવન્યુ પાર્ક શેરી નં. ૩ ના સાર્વજનિક પ્લોટ ખાતે ૧૧ કુંડી ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતુ અને તા. ૩૦ ને બુધવારના રોજ સવારે ૯ થી ૧૦:૩૦ વાગ્યા સુધી ગાયત્રી પરિવાર મોરબી તથા વાકાનેરના સહયોગથી ગાયત્રી હવન કરવામાં આવ્યો હતો અને ત્યારે મોરબીની ધર્મપ્રેમી જનતાને યજ્ઞના દર્શન કરવા અને યજ્ઞમાં આહુતિ આપીને મૃતકોના આત્માને પરમ શાંતિ મળે તે માટે હવનમાં આહુતિ આપવા માટે હાજર રહી હતી






Latest News