મોરબીમાં કમળ અને કાના માટે સતવારા સમાજ એક: વિપક્ષની અફવાઓથી દૂર રહીને વધુમાં વધુ મતદાન કરવા આહ્વાન
Morbi Today
મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા ઝૂલતા પુલના દિવંગતોના મોક્ષર્થે શાંતિ યજ્ઞ યોજાયો
SHARE
મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા ઝૂલતા પુલના દિવંગતોના મોક્ષર્થે શાંતિ યજ્ઞ યોજાયો
મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બની હતી તેને એક મહિનો પૂરો થયો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા દિવંગતોના મોક્ષાર્થે શાંતિ હવન કરવામાં આવ્યો હતો અને જયંતીભાઈ પટેલ તેમજ તેના પરિવારજનોએ યજ્ઞમાં આહુતિ આપી હતી અને મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી ત્યારે જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઝૂલતા પુલ દુર્ઘટનાને એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. ત્યારે મૃતકોના પરિવારોને આશ્વાસન મળે અને દિવંગતોના આત્માને શાંતિ મળે તે માટે શાંતિ હવન યજ્ઞનું આયોજન કર્યું હતું. અને સરકાર આવા હતભાગીઓને કોઈ પણ પ્રકારનું આશ્વાસન કે ન્યાય આપવામાં આવ્યો નથી. તે હક્કિત છે.









