મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે સીરામીક કારખાનાના કન્વેનેટર બેલ્ટમાં આવી જવાથી યુવાનનું મોત


SHARE













વાંકાનેરના માટેલ રોડે સીરામીક કારખાનાના કન્વેનેટર બેલ્ટમાં આવી જવાથી યુવાનનું મોત

વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં કન્વેનેટર બેલ્ટમાં આવી જવાના કારણે યુવાનને ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાની હદમાં માટેલ રોડ ઉપર આવેલ આઈકા સીરામીકમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મનીષભાઈ કાલિયાભાઈ ગરવાલ (ઉંમર ૨૧) કારખાનામાં કામગીરી કરી રહ્યા હતા ત્યારે કન્વેરેટર બેલ્ટમાં આવી જવાના કારણે મનીષભાઈને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોહનભાઈ ભુરીયા વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિવિલ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ઉંદર મારવાની દવા પી જતા સારવારમાં

મોરબીના દરબારગઢ વિસ્તારમાં રહેતો મિહિર શૈલેષભાઈ રામાનુજ નામનો ૨૨ વર્ષનો યુવાન કોઈ કારણસર તેના ઘેર ઉંદર મારવાની દવા પી ગયો હતો જેથી કરીને તેને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો બનાવની જાણ થવાથી હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના પી.બી.ઝાલા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના સનાળા રોડ સરદારબાગ પાસે ફૂટપાથ ઉપર રહેતા સુરેશભાઈ પિત્રોડા નામના ૭૭ વર્ષના વૃદ્ધ રસ્તા ઉપર પડી જતા તેઓને ૧૦૮ વડે સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા જેથી પોલીસ દ્વારા બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.





Latest News