મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મારામારી અને એટ્રોસીટીના કેસમાં આરોપીઓનો કોર્ટમાંથી જામીન પર છૂટકારો


SHARE













મોરબીમાં મારામારી અને એટ્રોસીટીના કેસમાં આરોપીઓનો કોર્ટમાંથી જામીન પર છૂટકારો

મોરબીના વણકરવાસમાં મારામારી અને એટ્રોસીટીનો બનાવ બનેલ હતો જેમાં આરોપી સીરાજભાઈ રાજુભાઈ સુમરા અને સલીમભાઈ ઈસ્માઈલભાઈ સુમરાને પકડવામાં આવ્યા હતા જેનો હાલમાં મોરબીની એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાંથી જામીન પર છૂટકારો થયેલ છે

મોરબી સીટી એ ડીવીઝ્ન પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ ફરીયાદ નોંધાવેલ કેઆરોપી સીરાજભાઈ રાજુભાઈ સુમરા ફરીયાદીની મસ્તી કરી ગાળો બોલતો હતો જેથી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા તેનો ખાર રાખી સીરાજભાઈ રાજુભાઈ સુમરાએ ફરીયાદીને છરી વડે ડાબા હાથને સામાન્ય છરકા જેવી ઈજા કરી તેમજ સલીમભાઈ ઈસ્માઈલભાઈ સુમરાએ રસના પાઈપ વડે મુંઢમાર મારીને ઇજા કરી હતી અને જ્ઞાતી પ્રત્યે જાહેરમાં અપમાનીત કરેલ છે માટે પોલીસે બંને આરોપીને પકડ્યા હતા જેના વકીલ તરીકે મોરબી સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ આર. અગેચાણીયા રોકાયેલ હતા અને આરોપી તરફે દલીલ કરવામાં આવેલી હતી કે આરોપી તદન નીર્દોષ છે, આરોપી વિરુદધ રાગદેષ રાખી આ ફરીયાદમાં ખોટી રીતે ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દીધેલ છે અને આરોપીએ આ કામના ફરીયાદીને માર મારેલ હોય કે જાતી પ્રત્યે અપમાનીત કરેલ નથી કે જાનથી મારી નાખવાની ધમકી આપેલ નથી. આ બનાવમાં આરોપીએ સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી ત્યારે આરોપીને પ્રી ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વીવીધ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપીને જામીન પર મુકત કરવા દલીલ કરેલ હતી અને બન્ને પક્ષની દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષની દલીલ માન્ય રાખી કોર્ટે આરોપીને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે દીલીપભાઈ અગેચાણીયાજીતેન અગેચાણીયાસુનીલ એસ. માલકીયામોનીકાબેન ગોલતર રોકાયેલા હતા . 






Latest News