આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં તોલમાપ કચેરી પટ્ટાવાળાને હવાલે !: કલેક્ટરને કરાઇ ફરિયાદ


SHARE













મોરબીમાં તોલમાપ કચેરી પટ્ટાવાળાને હવાલે !: કલેક્ટરને કરાઇ ફરિયાદ

મોરબી જિલ્લામા આજની તારીખે ઘણા અધિકારી અને કર્મચારીઓ હેડ કવાર્ટરમાં રહેતા નથી જેથી અરજદારો સહિતના લોકોને હેરાન થવું પડતું હોય છે ત્યારે મોરબીમાં આખી તોલમાપ કચેરી પટ્ટાવાળાને હવાલે છે આ વાતે સાંભળીને જરાપણ ચોકી જવાની જરૂર નથી કેમ કે, આજની તારીખે તોલમાપ વિભાગમાં અધિકારીકર્મચારીઓની અછત છે અને હાલમાં જે અધિકારીને મૂકવામાં આવેલ છે તેઓ રાજકોટથી માત્ર સોમવારે એક જ દિવસ આવતા હોય પટ્ટાવાળાથી જ આ ઓફિસ ચાલે છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે આ મુદે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા સમિતિના સભ્ય પી.પી. જોશીએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેઓએ લખ્યું છે કેનટરાજ હોટલ પાસે આવેલી તોલમાપ ખાતાની કચેરીમાં લોલમલોલ ચાલી રહી છે અને કેમ કેપાંચ તાલુકા વચ્ચેની આ તોલમાપ કચેરીમાં અધિકારીને મૂકવામાં આવ્યા છે તે રાજકોટથી સપ્તાહમાં એક જ દિવસ આવે છે જેથી આ આખી ઓફિસ માત્ર એક પટ્ટાવાળાથી ચાલી રહી છે અને અધિકારી ન હોવાથી મોરબી જિલ્લાના અસંખ્ય દુકાનદારોના વજનકાંટા સમયસર રીન્યુ થતા નથી અને ગ્રાહકોને ઓછું વજન મળતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે આ ગંભીર બાબતે રાજકોટની વડી કચેરીમાં અનેક ફરિયાદ કરવા છતાં નિરાકરણ ન આવતા હવે આ મુદે કલેક્ટરને રજૂઆત કરીને બેદરકારોની સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છ






Latest News