મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માવતરે રહેતી પરિણીતાને કરિયવર માટે પતિ સહિત સાત સાસરિયાનો ત્રાસ


SHARE













વાંકાનેરમાં માવતરે રહેતી પરિણીતાને કરિયવર માટે પતિ સહિત સાત સાસરિયાનો ત્રાસ

વાંકાનેરના વીસીપારમાં રેલ્વે સ્ટેશનની બાજુમા માવતરે રહેતી પરિણીતાએ તેના પતિ, સાસુ, સસરા, દિયર સહિત આઠ સામે ફરિયાદ નોંધવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પતિને આરોપીઓએ ખોટી ચડામણી કરતા તેને ઢીકા પાટુનો મુંઢમાર મારતા હતા અને વધુ કરિયાવર લાવવા માટે કહેતા હતા જેથી મહિલાની ફરિયાદ લઈને જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન્ના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત મુજબ હાલમાં વાંકાનેરના વીસીપારમાં રેલ્વે સ્ટેશનની બાજુમા માવતરે રહેતી રીમાબા કરણસિંહ મનુભા જાડેજા જાતે દરબાર (૩૨)એ હાલમાં કરણસિંહ મનુભા જાડેજા(પતિ), મનુભા હેમુભા જાડેજા(સસરા), જનકબા મનુભા હેમુભા જાડેજા(સાસુ), અર્જુનસિંહ મનુભા હેમુભા જાડેજા (દિયર), રહે- બધા મુંગણી આશાપુરા મંદિરની બાજુમાં જીલ્લો જામનગર તથા જયેન્દ્રસિહ મનુભા રાઠોડ (નણંદોયા), મિતલબા જયેન્દ્રસિહ રાઠોડ(નણંદ), પ્રકાશસિંહ મનુભા રાઠોડ(નંદોયા) અને શીતલબા પ્રકાશસિંહ મનુભા રાઠોડ (નણંદ) રહે.-બધા સુત્રાપાડા બસ સ્ટેન્ડની નજીક નવદુર્ગા મંદિરની બાજુની કોલોની જીલ્લો સોમનાથ વાળાની સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓએ ફરીયાદીને નાની નાની બાબતે, ધરકામ બાબતે તેમજ પ્રેગ્નેન્સી દરમ્યાન સારવાર નહી કરાવી અને વધારે કરીયાવર લાવવા માટે દબાણ કરી અવાર-નવાર મેણા-ટોણા બોલી ભુંડા બોલી ગાળો આપી હતી અને ફરિયાદીના પતિને અવાર-નવાર ખોટી ચડામણી કરતા ઢીકા પાટુનો મુંઢમાર મારી દુ:ખ ત્રાસ આપી શારીરિક અને માનસિક દુ:ખ ત્રાસ આપ્યો હતો જેથી કરીને મહિલાએ નોંધાવેલ ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ ૪૯૮(ક)૩૨૩૫૦૪ અને ૧૧૪ મુજ્બ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News