વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીને વ્યાજખોર મુક્ત કરવા ગુરૂવારે રેન્જ આઇજીની હાજરીમાં પોલીસની જનસંપર્ક સભા


SHARE













મોરબીને વ્યાજખોર મુક્ત કરવા ગુરૂવારે રેન્જ આઇજીની હાજરીમાં પોલીસની જનસંપર્ક સભા

રાજ્યના ગૃહવિભાગ દ્વારા વ્યાજખોરોની સામે પગલે લાવે માટેની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લાને વ્યાજખોર મુક્ત કરવા માટે તા ૧૨ જાન્યુઆરીના રોજ મોરબી સીટી એ ડિવિઝન સામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઇજીની હાજરીમાં જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વ્યાજખોરના ત્રાસની કોઈ પણ ભોગ બનેલ વ્યક્તિ ફરિયાદ કરી શકશે

છેલ્લા ઘણા દિવસોથી મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વ્યાજખોર સામે ધડોધડ ફરિયાદો લેવામાં આવી રહી છે અને આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી રહી છે ત્યારે આગામી તા.૧૨ જાન્યુઆરીના રોજ મોરબી સીટી એ ડિવિઝન સામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઇજી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ લોકો નિર્ભય બની ફરિયાદ કરી શકે તે માટે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે પોલીસ દ્વારા લોકોને નાણાકીય જરૂરિયાત માટે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાવાને બદલે બેન્કકો-ઓપરેટીવ સોસાયટી કે અન્ય માઈક્રો ફાઇનાન્સ કંપનીમાંથી લોન-ધિરાણ મળી રહે તે માટે વિવિધ નાણાકીય સંસ્થાઓની માહિતી પણ આપવામાં આવશે સાથે લોન માર્ગદર્શન અંગે પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે. આ ઉપરાંત જનસંપર્ક સભામાં કોઈ નાગરિકો ફરિયાદ ન કરી શકે તેમ હોય તો મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ ફોન નં. ૦૨૮૨૨ ૨૪૩૪૭૮મોરબી એલસીબી ઈન્ચાર્જ પીઆઇ મોબાઈલ નં. ૭૫૬૭૮ ૮૮૮૬૭ કે પછી મોરબી એસઓજીના ઈન્ચાર્જ પીઆઇ મોબાઈલ નં. ૯૫૩૭૭ ૯૯૮૮૮ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News