મોરબી જીલ્લામાં રામપર વીડી, બાબા સાહેબ આંબેડકર સ્કૂલ અને નેક્સિયન સિરામીકમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો મોરબી જિલ્લાના સાપકડા, જેતપર અને રાસંગપર ગામે ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતો અને પોલીસે આમને સામને મોરબી: આચાર્ય ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાની ધર્મયાત્રાના સંભારણા સાથે વિદાય મોરબીના આમરણ પાસે બે ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ: ૩૦ જૂન સુધી હથિયારબંધી વિશ્વ પર્યાવરણ દિવસ: મોરબી જિલ્લામાં ૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર અને ૧૫૦૦ રોપાનું નિઃશુલ્ક વિતરણ મોરબી RTO કચેરી દ્વારા વિવિધ વાહનોની જૂની સિરીઝના ફેન્સી નંબરો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે મોરબી કલેક્ટર કોર્ટમાં વહીવટી પારદર્શિતા માટે ઓપન કોર્ટ અભિગમ અને iRCMS પોર્ટલ થકી કેસની પ્રક્રિયા બની અત્યંત ઝડપી-પ્રજાભિમુખ
Breaking news
Morbi Today

મોરબીને વ્યાજખોર મુક્ત કરવા ગુરૂવારે રેન્જ આઇજીની હાજરીમાં પોલીસની જનસંપર્ક સભા


SHARE











મોરબીને વ્યાજખોર મુક્ત કરવા ગુરૂવારે રેન્જ આઇજીની હાજરીમાં પોલીસની જનસંપર્ક સભા

રાજ્યના ગૃહવિભાગ દ્વારા વ્યાજખોરોની સામે પગલે લાવે માટેની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લાને વ્યાજખોર મુક્ત કરવા માટે તા ૧૨ જાન્યુઆરીના રોજ મોરબી સીટી એ ડિવિઝન સામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઇજીની હાજરીમાં જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વ્યાજખોરના ત્રાસની કોઈ પણ ભોગ બનેલ વ્યક્તિ ફરિયાદ કરી શકશે

છેલ્લા ઘણા દિવસોથી મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વ્યાજખોર સામે ધડોધડ ફરિયાદો લેવામાં આવી રહી છે અને આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી રહી છે ત્યારે આગામી તા.૧૨ જાન્યુઆરીના રોજ મોરબી સીટી એ ડિવિઝન સામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઇજી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ લોકો નિર્ભય બની ફરિયાદ કરી શકે તે માટે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે પોલીસ દ્વારા લોકોને નાણાકીય જરૂરિયાત માટે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાવાને બદલે બેન્કકો-ઓપરેટીવ સોસાયટી કે અન્ય માઈક્રો ફાઇનાન્સ કંપનીમાંથી લોન-ધિરાણ મળી રહે તે માટે વિવિધ નાણાકીય સંસ્થાઓની માહિતી પણ આપવામાં આવશે સાથે લોન માર્ગદર્શન અંગે પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે. આ ઉપરાંત જનસંપર્ક સભામાં કોઈ નાગરિકો ફરિયાદ ન કરી શકે તેમ હોય તો મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ ફોન નં. ૦૨૮૨૨ ૨૪૩૪૭૮મોરબી એલસીબી ઈન્ચાર્જ પીઆઇ મોબાઈલ નં. ૭૫૬૭૮ ૮૮૮૬૭ કે પછી મોરબી એસઓજીના ઈન્ચાર્જ પીઆઇ મોબાઈલ નં. ૯૫૩૭૭ ૯૯૮૮૮ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News