મોરબીના ભરતનગર ગામ પાસે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર કાર ચાલકની ધરપકડ
SHARE
મોરબીના ભરતનગર ગામ પાસે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર કાર ચાલકની ધરપકડ
મોરબીના ભરતનગર ગામ પાસેથી ડબલ સવારી બાઈકમાં કાકા અને ભત્રીજો જતાં હતા ત્યારે તેના બાઇકને વેગનાર કારના ચાલકે હડફેટે લીધું હતું જેથી બાઈક ઉપર જઈ રહેલા કાકા અને ભત્રીજાને ગંભીર ઈજા થઇ હતી અને ચાલુ સારવારે ભત્રીજાનું મોત નીપજયું હતું અને ઈજા પામેલા કાકાએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગરમાં રહેતા જીગ્નેશભાઈ રોહિતભાઈ ચાવડા જાતે આહિર (ઉંમર ૩૪) પોતાના ભત્રીજા રાહુલ પ્રભાતભાઈ ચાવડા (ઉમર ૨૭) સાથે થોડા સમય પહેલા મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામ પાસેથી બાઈક નં. જીજે ૩ એચડી ૯૫૬૪ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે વેગનાર કાર નં. જીજે ૧૧ બીએચ ૫૦૯૧ ના ચાલકે તેના બાઇકને લીધું હતું જેથી કરીને ફરિયાદી જીગ્નેશભાઈ અને તેના ભત્રીજા રાહુલને ઇજાઓ થઈ હતી અને રાહુલને માથામાં ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું અને ફરિયાદી જીગ્નેશભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં આરોપી વિરાજ ઉર્ફે વાસુભાઈ રવિભાઈ ચૌહાણ જાતે કારડીયા રાજપૂત (૨૩) રહે. સુભાષ રોડ ચુનાર વાડા જુનાગઢ વાળાની ધરપકડ કરેલ છે