વિશ્વ પર્યાવરણ દિવસ: મોરબી જિલ્લામાં ૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર અને ૧૫૦૦ રોપાનું નિઃશુલ્ક વિતરણ મોરબી RTO કચેરી દ્વારા વિવિધ વાહનોની જૂની સિરીઝના ફેન્સી નંબરો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે મોરબી કલેક્ટર કોર્ટમાં વહીવટી પારદર્શિતા માટે ઓપન કોર્ટ અભિગમ અને iRCMS પોર્ટલ થકી કેસની પ્રક્રિયા બની અત્યંત ઝડપી-પ્રજાભિમુખ પરંપરાગત ખેતીથી આધુનિકતા તરફ પ્રયાણ; મોરબી જીલ્લામાં બાગાયત વિભાગની સહાય યોજના હેઠળ ખેડૂતો બન્યા આત્મનિર્ભર મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું મોરબીમહાપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું રેન્જ આઇજી ચિરાગ કોરડીયાનું મોરબીમાં સિરામિક એસો. દ્વારા ભગવાન રામની પ્રતિમા અર્પણ કરીને કરાયું સ્વાગત કચ્છ-મોરબીના રેન્જ આઇજી ચિરાગ કોરડીયા આજે મોરબીમાં: અધિકારીઓએ સાથે સમિક્ષા બેઠક યોજાઇ, ખનીજ માફિયાઓ સામે આકરી કાર્યવાહીના સંકેત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે તળાવમાં ગટરની ગંદકીથી ત્રાહિમામ: હેતુફેર કરીને ગાર્ડન બનાવવાની માંગ


SHARE











મોરબીના રવાપર ગામે તળાવમાં ગટરની ગંદકીથી ત્રાહિમામ: હેતુફેર કરીને ગાર્ડન બનાવવાની માંગ

મોરબીના રવાપર ગામે આવેલ તળાવની આસપાસમાં છેલ્લા વર્ષોમાં ઘણી બધી સોસાયટીઓ બની ગયેલ છે અને સોસાયટીઓમાં અંદાજે ૬૦૦૦ કરતાં વધુ લોકોની વસ્તી છે અને આ લોકોના ભોંખારના દૂષિત પાણી સીધા તળાવમાં આવતા હોવાથી ત્યાં ગંદકીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે અને સોસાયટીમાં રહેતા લોકોને ત્યાં રહેવું મુશ્કેલ બની ગયું છે ખાસ કરીને ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે જેથી કરીને મચ્છરજન્ય રોગચાળો વધે તેમજ લોકોના આરોગ્યને નુકસાન થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેથી કરીને મોરબી તાલુકા પંચાયતના માજી સદસ્ય લલીતભાઈ ચતુરભાઈ કાસુન્દ્રા દ્વારા રવાપર ગ્રામ પંચાયતના સરપંચને લેખિત રજૂઆત કરીને રવાપર ગામે આવેલ તળાવમાં થતી ગંદકીનો કાયમી નિકાલ કરવામાં આવે અને જો તળાવનો કોઈ ઉપયોગ ન હોય તો તેનો હેતુફેર કરીને ત્યાં ગ્રામજનો માટે બગીચો બનાવવામાં આવે તેવી માગણી અને લાગણી વ્યક્ત કરવામાં આવી છે વધુમાં લલીતભાઈ કાસુન્દ્રાએ જણાવ્યું છે કે રવાપર ગામની આસપાસના વિસ્તારમાં આજની તારીખે ૩૦ થી ૪૦ હજાર જેટલા લોકોની વસ્તી છે અને આ ગામની આસપાસમાં કોઈ હરવા ફરવા લાયક સ્થળ નથી ત્યારે ગંદકીનું ઘર બની ગયેલ તળાવને ગાર્ડનમાં હેતુફેર કરવામાં આવે અને ત્યાં ગામના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને હરવા ફરવા જઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો લોકોની સુખાકારીમાં વધારો થાય તેમ છે






Latest News