વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન મોરબી મહાપાલિકાની 52 બેઠકો સાથે કોંગ્રેસ 23 ઉમેદવાર જાહેર કર્યા: 29 મુરતિયાને શોધવા કાવયત મોરબીના કેસર બાગમાં પાણીના ટાંકા પાસે પડી ગયા બાદ વૃદ્ધનું મોત જોડિયાના દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી પકડાયો વાંકાનેર તાલુકામાં ગેરકાયદે બ્લાસ્ટ થાય તે પહેલા SOG ત્રાટકી: 475 જીલેટીંગ સ્ટીક સહિત 3.18 લાખના મુદામલ સાથે એક પકડાયો, 12 સામે ફરિયાદ મોરબીમાં વિદેશી દારૂની 4 રેડમાં 116 બોટલ દારૂ અને 68 બીયરના ટીન સાથે 5 આરોપી ઝડપાયા: 4 ની શોધખોળ મોરબીના ઘુંટુ ગામે ઘરેથી દુકાને વસ્તુ લેવા જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ મોરબી: પત્ની સાથે ઝઘડો થયા બાદ દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે તળાવમાં ગટરની ગંદકીથી ત્રાહિમામ: હેતુફેર કરીને ગાર્ડન બનાવવાની માંગ


SHARE











મોરબીના રવાપર ગામે તળાવમાં ગટરની ગંદકીથી ત્રાહિમામ: હેતુફેર કરીને ગાર્ડન બનાવવાની માંગ

મોરબીના રવાપર ગામે આવેલ તળાવની આસપાસમાં છેલ્લા વર્ષોમાં ઘણી બધી સોસાયટીઓ બની ગયેલ છે અને સોસાયટીઓમાં અંદાજે ૬૦૦૦ કરતાં વધુ લોકોની વસ્તી છે અને આ લોકોના ભોંખારના દૂષિત પાણી સીધા તળાવમાં આવતા હોવાથી ત્યાં ગંદકીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે અને સોસાયટીમાં રહેતા લોકોને ત્યાં રહેવું મુશ્કેલ બની ગયું છે ખાસ કરીને ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે જેથી કરીને મચ્છરજન્ય રોગચાળો વધે તેમજ લોકોના આરોગ્યને નુકસાન થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેથી કરીને મોરબી તાલુકા પંચાયતના માજી સદસ્ય લલીતભાઈ ચતુરભાઈ કાસુન્દ્રા દ્વારા રવાપર ગ્રામ પંચાયતના સરપંચને લેખિત રજૂઆત કરીને રવાપર ગામે આવેલ તળાવમાં થતી ગંદકીનો કાયમી નિકાલ કરવામાં આવે અને જો તળાવનો કોઈ ઉપયોગ ન હોય તો તેનો હેતુફેર કરીને ત્યાં ગ્રામજનો માટે બગીચો બનાવવામાં આવે તેવી માગણી અને લાગણી વ્યક્ત કરવામાં આવી છે વધુમાં લલીતભાઈ કાસુન્દ્રાએ જણાવ્યું છે કે રવાપર ગામની આસપાસના વિસ્તારમાં આજની તારીખે ૩૦ થી ૪૦ હજાર જેટલા લોકોની વસ્તી છે અને આ ગામની આસપાસમાં કોઈ હરવા ફરવા લાયક સ્થળ નથી ત્યારે ગંદકીનું ઘર બની ગયેલ તળાવને ગાર્ડનમાં હેતુફેર કરવામાં આવે અને ત્યાં ગામના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને હરવા ફરવા જઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો લોકોની સુખાકારીમાં વધારો થાય તેમ છે






Latest News