વિશ્વ પર્યાવરણ દિવસ: મોરબી જિલ્લામાં ૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર અને ૧૫૦૦ રોપાનું નિઃશુલ્ક વિતરણ મોરબી RTO કચેરી દ્વારા વિવિધ વાહનોની જૂની સિરીઝના ફેન્સી નંબરો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે મોરબી કલેક્ટર કોર્ટમાં વહીવટી પારદર્શિતા માટે ઓપન કોર્ટ અભિગમ અને iRCMS પોર્ટલ થકી કેસની પ્રક્રિયા બની અત્યંત ઝડપી-પ્રજાભિમુખ પરંપરાગત ખેતીથી આધુનિકતા તરફ પ્રયાણ; મોરબી જીલ્લામાં બાગાયત વિભાગની સહાય યોજના હેઠળ ખેડૂતો બન્યા આત્મનિર્ભર મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું મોરબીમહાપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું રેન્જ આઇજી ચિરાગ કોરડીયાનું મોરબીમાં સિરામિક એસો. દ્વારા ભગવાન રામની પ્રતિમા અર્પણ કરીને કરાયું સ્વાગત કચ્છ-મોરબીના રેન્જ આઇજી ચિરાગ કોરડીયા આજે મોરબીમાં: અધિકારીઓએ સાથે સમિક્ષા બેઠક યોજાઇ, ખનીજ માફિયાઓ સામે આકરી કાર્યવાહીના સંકેત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી !


SHARE











મોરબી જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી !

મોરબીના આસપાસના વિસ્તારમાં 1000 જેટલા નાના મોટા સીરામીકના કારખાને આવેલા છે તેમજ અન્ય કારખાનાઓ આવેલા છે જેમાં હજારો લોકો નાના મોટા વાહનો લઈને નોકરી ધંધા માટે અવરજવર કરતા હોય છે તેની સાથો સાથ માલવાહક વાહનોની સંખ્યા પણ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે અને દિવસ દરમિયાન કોઈને કોઈ વિસ્તારની અંદર જીવલેણ અકસ્માત સર્જાય તેવો ઘાટ મોરબી જિલ્લાના મોરબી આસપાસના વિસ્તારમાં જોવા મળી રહ્યો છે તેવા સમયે મોરબી પોલીસ વિભાગ દ્વારા 33 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે પોલીસ ચોકીએ ટ્રાફિક સપ્તાહની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના ડીવાયએસપી ગોસ્વામી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા તેમજ મોરબી સિરામિક એસોસિયેશનના માજી પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા સહિતના નગરજનો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા રોજિંદા ટ્રાફિકના લીધે સર્જાતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને મોરબી મોરબીવાસીઓને વાહન ચલાવતા સમયે કાર ચલાવતા હોય તો સીટબેલ્ટ બાંધવા અને બાઈક ચલાવતા હોય તો હેલ્મેટ પહેરવા માટે થઈને અપીલ કરવામાં આવી હતી અને ખાસ કરીને ઓવર સ્પીડ વાહન ચલાવવાના કારણે ઘણી વખત જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે પોતાની અને અન્ય વાહન ચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને લોકો પોતાના વાહનો લઈને માર્ગ ઉપરથી અવર-જવર કરે તેના માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો અને ઘણા બધા લોકોને આજે ટ્રાફિકના નિયમના ભંગ બદલ દંડ કરવાના બદલે ફુલ આપીને ટ્રાફિકના નિયમોને અનુસરવા માટે અધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે






Latest News