વિશ્વ પર્યાવરણ દિવસ: મોરબી જિલ્લામાં ૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર અને ૧૫૦૦ રોપાનું નિઃશુલ્ક વિતરણ મોરબી RTO કચેરી દ્વારા વિવિધ વાહનોની જૂની સિરીઝના ફેન્સી નંબરો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે મોરબી કલેક્ટર કોર્ટમાં વહીવટી પારદર્શિતા માટે ઓપન કોર્ટ અભિગમ અને iRCMS પોર્ટલ થકી કેસની પ્રક્રિયા બની અત્યંત ઝડપી-પ્રજાભિમુખ પરંપરાગત ખેતીથી આધુનિકતા તરફ પ્રયાણ; મોરબી જીલ્લામાં બાગાયત વિભાગની સહાય યોજના હેઠળ ખેડૂતો બન્યા આત્મનિર્ભર મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું મોરબીમહાપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું રેન્જ આઇજી ચિરાગ કોરડીયાનું મોરબીમાં સિરામિક એસો. દ્વારા ભગવાન રામની પ્રતિમા અર્પણ કરીને કરાયું સ્વાગત કચ્છ-મોરબીના રેન્જ આઇજી ચિરાગ કોરડીયા આજે મોરબીમાં: અધિકારીઓએ સાથે સમિક્ષા બેઠક યોજાઇ, ખનીજ માફિયાઓ સામે આકરી કાર્યવાહીના સંકેત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે કારખાનામાં ઊંચાઈ ઉપરથી નીચે પડેલ યુવાનનું મોત


SHARE











મોરબીના લાલપર ગામ પાસે કારખાનામાં ઊંચાઈ ઉપરથી નીચે પડેલ યુવાનનું મોત

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં પતરા ચડાવવાની કામગીરી દરમિયાન યુવાનો ઊંચાઈ ઉપરથી નીચે પટકાયો હતો જેથી કરીને તેને શરીરે ઇજાઓ થઈ હોવાથી સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો વિનોદભાઈ અનિલભાઈ સોનને (૨૮) મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ મેલેનિયમ સેરા સીરામીક નામના કારખાનામાં પતરા ચડાવવાની કામગીરી કરી રહ્યો હતો ત્યારે કામગીરી દરમિયાન તે ઊંચાઈ ઉપરથી નીચે પટકાયો હતો જેથી યુવાનને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News