મોરબીમાં ત્રણ વાહન અકસ્માતમાં પાંચને ઇજા થતા સારવારમાં ખસેડાયા
મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા મકરસંક્રાંતિ પર્વની દાન ગંગાવતરણ પર્વ તરીકે ઉજવણી
SHARE
મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા મકરસંક્રાંતિ પર્વની દાન ગંગાવતરણ પર્વ તરીકે ઉજવણી
ઉચ્ચશિક્ષણમાં કોમર્સ ક્ષેત્રે મુઠેરી ઉંચી નામના ધરવતી મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા છેલ્લા ૭ વર્ષોથી વિશેષ ઉજવણી કરવામાં આવે છે જેમાં પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા અને આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટની રાહબરી હેઠળ કોલેજના વિધાર્થીઓ અને પ્રાધ્યાપકો મોરબીના અલગ અલગ પોઈન્ટ જેવાકે નવલખી ચોકડી, ઉમિયા સર્કલ, અવની ચોકડી, ગેંડા સર્કલ, એસપી રોડ, ગાંધી ચોક, વાવડી રોડ, રાજપર ચોકડી તેમજ સામે કાઠે મહેન્દ્રનગર ચોકડી, ઉમા ટાઉનશીપ છાત્રાલય રોડ વગેરે જેવા વિસ્તારોમાં ટીમ વર્ક દ્વારા માત્ર બે કલાક સવારે ૮ થી ૧૦ સેવાયજ્ઞ કરીને નિ:સહાય અને અનાથ બાળકો તેમજ ગંગા સ્વરૂપ બહેનોના લાભાર્થે દાન એકઠું કરે છે આ વર્ષે પણ મોરબીની જાહેર જનતાના સાથ સહકારથી ૧,૯૧,૦૦૦ જેટલી માતબર રકમ એકથી કરી હતી. આ રકમનો ઉપયોગ કોલેજના વિધાર્થીઓ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન નિ:સહાય અને અનાથ બાળકો તેમજ ગંગા સ્વરૂપ બહેનોના લાભાર્થે તેમજ જરૂરિયાતમંદોની સેવાર્થે કરવામાં આવશે. ઉપરોક્ત પ્રોજેકટમાં મોટી સંખ્યામાં કોલેજના વિધાર્થીઓ અને પ્રાધ્યાપકો ઉત્સાહભેર જોડાયા હતા