વાંકાનેર નજીક લિંબાળા ધાર પાસે ભરડીયાની ઓરડીમાં વૃદ્ધે દીકરીના લગ્નની ચિંતામાં કર્યો આપઘાત
SHARE
વાંકાનેર નજીક લિંબાળા ધાર પાસે ભરડીયાની ઓરડીમાં વૃદ્ધે દીકરીના લગ્નની ચિંતામાં કર્યો આપઘાત
વાંકાનેર તાલુકાના લિંબાળા ધાર પાસે આવેલ સ્ટોનના ભરડીયાની ઓરડીમાં રહેતા વૃદ્ધે તેની દીકરીની સગાઈ થતી ન હોવાથી ટેન્શનમાં આવી ગયા હતા અને તેને પોતાની ઓરડીની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવવાની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર નજીક આવેલ લિંબાળા ધાર પાસે ભારત સ્ટોન ક્રશર નામના ભડીયાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા હસમુખભાઈ ઉર્ફે હરિભાઈ મકવાણાએ ઓરડીમાં લોખંડની એંગલ સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના દીકરા અશ્વિનભાઈ હસમુખભાઈ મકવાણાએ વાંકાનેર સિટી પોલીસે જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે હસમુખભાઈ મકવાણાની દીકરીની સગાઈ થતી ન હોવાથી તેઓ ટેન્શનમાં આવી ગયા હતા અને તેઓએ પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે