ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક લિંબાળા ધાર પાસે ભરડીયાની ઓરડીમાં વૃદ્ધે દીકરીના લગ્નની ચિંતામાં કર્યો આપઘાત


SHARE













વાંકાનેર નજીક લિંબાળા ધાર પાસે ભરડીયાની ઓરડીમાં વૃદ્ધે દીકરીના લગ્નની ચિંતામાં કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના લિંબાળા ધાર પાસે આવેલ સ્ટોનના ભરડીયાની ઓરડીમાં રહેતા વૃદ્ધે તેની દીકરીની સગાઈ થતી ન હોવાથી ટેન્શનમાં આવી ગયા હતા અને તેને પોતાની ઓરડીની અંદર ળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવવાની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર નજીક આવેલ લિંબાળા ધાર પાસે ભારત સ્ટોન ક્રશર નામના ભડીયાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા હસમુખભાઈ ઉર્ફે હરિભાઈ મકવાણાએ ઓરડીમાં લોખંડની એંગલ સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના દીકરા અશ્વિનભાઈ હસમુખભાઈ મકવાણાએ વાંકાનેર સિટી પોલીસે જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે હસમુખભાઈ મકવાણાની દીકરીની સગાઈ થતી ન હોવાથી તેઓ ટેન્શનમાં આવી ગયા હતા અને તેઓએ પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે






Latest News