મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું મોરબીમહાપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું રેન્જ આઇજી ચિરાગ કોરડીયાનું મોરબીમાં સિરામિક એસો. દ્વારા ભગવાન રામની પ્રતિમા અર્પણ કરીને કરાયું સ્વાગત કચ્છ-મોરબીના રેન્જ આઇજી ચિરાગ કોરડીયા આજે મોરબીમાં: અધિકારીઓએ સાથે સમિક્ષા બેઠક યોજાઇ, ખનીજ માફિયાઓ સામે આકરી કાર્યવાહીના સંકેત મોરબીના રવાપર ગામે એસિડ પી ગયેલ નવોઢા બેભાન હાલતમાં સારવારમાં મોરબીના ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધને ધોકા વડે માર માર્યો મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ મોરબીના નવા જાંબુડિયા ગામે માવતરના ઘરે રિસામણે બેઠેલ પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે આગામી તા.૩૦ થી દેવી ભાગવત કથા યોજાશે


SHARE











મોરબીના રામધન આશ્રમે આગામી તા.૩૦ થી દેવી ભાગવત કથા યોજાશે

મોરબીના રામધન આશ્રમ ખાતે આગામી તા. ૩૦ જાન્યુઆરીથી દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૩૦ જાન્યુઆરીના રોજ કથા પ્રારંભ થશે અને તા.૭ ફેબ્રુઆરીએ કથા વિરામ લેશે. દેવી ભાગવત કથામાં આવતા વિવિધ પ્રસંગો જેમ કે અંબે પ્રાગટ્ય, ઉમિયા પ્રાગટ્ય શાકંભરી પ્રાગટ્ય, ચામુંડા પ્રાગટ્ય, મહાકાલી પ્રાગટ્ય, શિવ વિવાહ, નંદ ઉત્સવ અને ખોડીયાર પ્રાગટ્ય જેવા પ્રસંગો ધામધુમથી ઉજવાશે.મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલા રામધન આશ્રમ ખાતે તા.૩૦ જાન્યુઆરીથી આ કથા પ્રારંભ થશે કથા સવારે ૯ થી ૧૧ અને બપોરે ૩ થી ૫ કલાક યોજાશે.રામધન આશ્રમ ખાતે આયોજિત દેવી ભાગવત કથામાં બાળ વિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) ગુરુશ્રી ભાવેશ્વરી માતાજી કથાના વક્તા તરીકે કથાનું રસપાન કરાવશે.આ દેવી ભાગવત કથાનો લાભ લેવા જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ મહેન્દ્રનગરના ભક્તો, તેમજ આશ્રમના સેવક સમુદાય દ્વારા જાહેર જનતાને  નિમંત્રણ પાઠવ્યું છે.
 
 
 





Latest News