મોરબીમાં યુવાનને મારી નાખવાની ધમકી આપનારા ત્રણ વ્યાજખોરની ધરપકડ
Morbi Today
મોરબીના રામધન આશ્રમે આગામી તા.૩૦ થી દેવી ભાગવત કથા યોજાશે
SHARE
મોરબીના રામધન આશ્રમે આગામી તા.૩૦ થી દેવી ભાગવત કથા યોજાશે
મોરબીના રામધન આશ્રમ ખાતે આગામી તા. ૩૦ જાન્યુઆરીથી દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૩૦ જાન્યુઆરીના રોજ કથા પ્રારંભ થશે અને તા.૭ ફેબ્રુઆરીએ કથા વિરામ લેશે. દેવી ભાગવત કથામાં આવતા વિવિધ પ્રસંગો જેમ કે અંબે પ્રાગટ્ય, ઉમિયા પ્રાગટ્ય શાકંભરી પ્રાગટ્ય, ચામુંડા પ્રાગટ્ય, મહાકાલી પ્રાગટ્ય, શિવ વિવાહ, નંદ ઉત્સવ અને ખોડીયાર પ્રાગટ્ય જેવા પ્રસંગો ધામધુમથી ઉજવાશે.મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલા રામધન આશ્રમ ખાતે તા.૩૦ જાન્યુઆરીથી આ કથા પ્રારંભ થશે કથા સવારે ૯ થી ૧૧ અને બપોરે ૩ થી ૫ કલાક યોજાશે.રામધન આશ્રમ ખાતે આયોજિત દેવી ભાગવત કથામાં બાળ વિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) ગુરુશ્રી ભાવેશ્વરી માતાજી કથાના વક્તા તરીકે કથાનું રસપાન કરાવશે.આ દેવી ભાગવત કથાનો લાભ લેવા જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ મહેન્દ્રનગરના ભક્તો, તેમજ આશ્રમના સેવક સમુદાય દ્વારા જાહેર જનતાને નિમંત્રણ પાઠવ્યું છે.









