મોરબીમાં રાજ્યભરના ૧૧૮ જેટલા ઇએનટી સર્જનોની હાજરીમાં યોજાયો લાઈવ સર્જરી વર્કશોપ
મોરબીના સતવારા સમાજ અગ્રણીએ સદાવ્રતમાં મહાપ્રસાદ યોજીને સદગત માતાને શ્રધ્ધાંજલિ પાઠવી
SHARE
મોરબીના સતવારા સમાજ અગ્રણીએ સદાવ્રતમાં મહાપ્રસાદ યોજીને સદગત માતાને શ્રધ્ધાંજલિ પાઠવી
મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજીને સદગત માતાને મોરબી સતવારા સમાજ અગ્રણી મોરભાઈ રામજીભાઈ કંઝારીયાએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.વિવિધ પ્રકારની માનવસેવા કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે મહાપ્રસાદ યોજવામાં આવે છે ત્યારે મોરબી સતવારા સમાજના અગ્રણી મોરભાઈ રામજીભાઈ કંઝારીયાના માતુશ્રી સ્વ.રતનબેન રામજીભાઈ કંઝારીયાનુ તાજેતરમાં અવસાન થતા કંઝારીયા પરિવાર દ્વારા તેઓની માતાનાં સ્મરણાર્થે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો.આ તકે મોરબી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ચંડીભમર સહીતના અગ્રણીઓએ સદગતને શ્રધ્ધાંજલિ પાઠવી હતી