ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે એસપીની અધ્યક્ષતામાં યોજાયો વ્યાજખોરી સંદર્ભે લોક દરબાર, ફરિયાદ કર્યા બાદ કોઈ કન્નડશે નહીં તેવી પોલીસની ખાત્રી


SHARE













મોરબીના રંગપર ગામે એસપીની અધ્યક્ષતામાં યોજાયો વ્યાજખોરી સંદર્ભે લોક દરબાર, ફરિયાદ કર્યા બાદ કોઈ કન્નડશે નહીં તેવી પોલીસની ખાત્રી

મોરબી તાલુકાના રંગપર ગામે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજી ગામ લોકોને વ્યાજખોરોના ચક્રમા ન ફસાવા અંગે સમજ કરીને સરકારની વિવિધ યોજનાઓ તેમજ સસ્તી લોન અંગે બેંક સંબંધી જરૂરી માહિતીથી લોકોને વાકેફ કરવામાં આવ્યા હતા અને જો કોઈ વ્યક્તિ વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલ હોય તો નિર્ભિક બની પોલીસનો સંપર્ક કરવા સમજ કરવામાં આવી હતી. લોકદરબારમાં ડીવાયએસપી ઝાલા, પીઆઇ વાળા, પ્રો.પીઆઇ સોલંકી તેમજ આશરે ૧૫૦ જેટલા આગેવાનો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.ગામના સરપંચ મેધરાજસિહ નરભેસિંહ, ઉપ સરપંચ મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા, બચુભા વેરૂભા, ધનશ્યામસિંહ સજુભા ઝાલા (નારાયણ સેવા સંસ્થાન પ્રમુખ-મોરબી તથા ગ્રાહક સુરક્ષા પ્રતિનિધિ), લાલજી મહેતા ગ્રાહક સુરક્ષા પ્રમુખ વતી રામભાઇ મહેતા હાજર રહ્યા હતા. તલાટી કમ મંત્રી તથા અન્ય ગામના સરપંચ તથા ગામના ૧૫૦ જેટલા આગેવાનો હાજર રહ્યા હતા તથા એસપી, ડીવાયએસપી તથા પીઆઇ સહીતની પોલીસ ટીમે હાજર રહીને વ્યાજખોરોની સામે હિંમતપૂર્વક બહાર આવવા અને રાજ્ય સરકાર દ્વારા જે આ મુહીમ ચલાવવામાં આવી છે તેમાં સહકાર આપવા અપીલ કરી હતી વ્યાજખોરોને કોઈપણ કાળે છોડવામાં નહીં આવે તેવી ખાત્રી અને ફરિયાદ કર્યા બાદ કોઈ કનડશે નહીં તેવી ખાત્રી પણ પોલીસ વિભાગ દ્વારા લોકોને આપવામાં આવી હતી.






Latest News