હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે એસપીની અધ્યક્ષતામાં યોજાયો વ્યાજખોરી સંદર્ભે લોક દરબાર, ફરિયાદ કર્યા બાદ કોઈ કન્નડશે નહીં તેવી પોલીસની ખાત્રી


SHARE











મોરબીના રંગપર ગામે એસપીની અધ્યક્ષતામાં યોજાયો વ્યાજખોરી સંદર્ભે લોક દરબાર, ફરિયાદ કર્યા બાદ કોઈ કન્નડશે નહીં તેવી પોલીસની ખાત્રી

મોરબી તાલુકાના રંગપર ગામે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજી ગામ લોકોને વ્યાજખોરોના ચક્રમા ન ફસાવા અંગે સમજ કરીને સરકારની વિવિધ યોજનાઓ તેમજ સસ્તી લોન અંગે બેંક સંબંધી જરૂરી માહિતીથી લોકોને વાકેફ કરવામાં આવ્યા હતા અને જો કોઈ વ્યક્તિ વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલ હોય તો નિર્ભિક બની પોલીસનો સંપર્ક કરવા સમજ કરવામાં આવી હતી. લોકદરબારમાં ડીવાયએસપી ઝાલા, પીઆઇ વાળા, પ્રો.પીઆઇ સોલંકી તેમજ આશરે ૧૫૦ જેટલા આગેવાનો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.ગામના સરપંચ મેધરાજસિહ નરભેસિંહ, ઉપ સરપંચ મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા, બચુભા વેરૂભા, ધનશ્યામસિંહ સજુભા ઝાલા (નારાયણ સેવા સંસ્થાન પ્રમુખ-મોરબી તથા ગ્રાહક સુરક્ષા પ્રતિનિધિ), લાલજી મહેતા ગ્રાહક સુરક્ષા પ્રમુખ વતી રામભાઇ મહેતા હાજર રહ્યા હતા. તલાટી કમ મંત્રી તથા અન્ય ગામના સરપંચ તથા ગામના ૧૫૦ જેટલા આગેવાનો હાજર રહ્યા હતા તથા એસપી, ડીવાયએસપી તથા પીઆઇ સહીતની પોલીસ ટીમે હાજર રહીને વ્યાજખોરોની સામે હિંમતપૂર્વક બહાર આવવા અને રાજ્ય સરકાર દ્વારા જે આ મુહીમ ચલાવવામાં આવી છે તેમાં સહકાર આપવા અપીલ કરી હતી વ્યાજખોરોને કોઈપણ કાળે છોડવામાં નહીં આવે તેવી ખાત્રી અને ફરિયાદ કર્યા બાદ કોઈ કનડશે નહીં તેવી ખાત્રી પણ પોલીસ વિભાગ દ્વારા લોકોને આપવામાં આવી હતી.






Latest News