મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું મોરબીમહાપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોરબી મહાપાલિકા દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને તેમાં મોરબી મહાપાલિકાના મે રેન્જ આઇજી ચિરાગ કોરડીયાનું મોરબીમાં સિરામિક એસો. દ્વારા ભગવાન રામની પ્રતિમા અર્પણ કરીને કરાયું સ્વાગત કચ્છ-મોરબીના રેન્જ આઇજી ચિરાગ કોરડીયા આજે મોરબીમાં: અધિકારીઓએ સાથે સમિક્ષા બેઠક યોજાઇ, ખનીજ માફિયાઓ સામે આકરી કાર્યવાહીના સંકેત મોરબીના રવાપર ગામે એસિડ પી ગયેલ નવોઢા બેભાન હાલતમાં સારવારમાં મોરબીના ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધને ધોકા વડે માર માર્યો મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ મોરબીના નવા જાંબુડિયા ગામે માવતરના ઘરે રિસામણે બેઠેલ પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે એસપીની અધ્યક્ષતામાં યોજાયો વ્યાજખોરી સંદર્ભે લોક દરબાર, ફરિયાદ કર્યા બાદ કોઈ કન્નડશે નહીં તેવી પોલીસની ખાત્રી


SHARE











મોરબીના રંગપર ગામે એસપીની અધ્યક્ષતામાં યોજાયો વ્યાજખોરી સંદર્ભે લોક દરબાર, ફરિયાદ કર્યા બાદ કોઈ કન્નડશે નહીં તેવી પોલીસની ખાત્રી

મોરબી તાલુકાના રંગપર ગામે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજી ગામ લોકોને વ્યાજખોરોના ચક્રમા ન ફસાવા અંગે સમજ કરીને સરકારની વિવિધ યોજનાઓ તેમજ સસ્તી લોન અંગે બેંક સંબંધી જરૂરી માહિતીથી લોકોને વાકેફ કરવામાં આવ્યા હતા અને જો કોઈ વ્યક્તિ વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલ હોય તો નિર્ભિક બની પોલીસનો સંપર્ક કરવા સમજ કરવામાં આવી હતી. લોકદરબારમાં ડીવાયએસપી ઝાલા, પીઆઇ વાળા, પ્રો.પીઆઇ સોલંકી તેમજ આશરે ૧૫૦ જેટલા આગેવાનો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.ગામના સરપંચ મેધરાજસિહ નરભેસિંહ, ઉપ સરપંચ મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા, બચુભા વેરૂભા, ધનશ્યામસિંહ સજુભા ઝાલા (નારાયણ સેવા સંસ્થાન પ્રમુખ-મોરબી તથા ગ્રાહક સુરક્ષા પ્રતિનિધિ), લાલજી મહેતા ગ્રાહક સુરક્ષા પ્રમુખ વતી રામભાઇ મહેતા હાજર રહ્યા હતા. તલાટી કમ મંત્રી તથા અન્ય ગામના સરપંચ તથા ગામના ૧૫૦ જેટલા આગેવાનો હાજર રહ્યા હતા તથા એસપી, ડીવાયએસપી તથા પીઆઇ સહીતની પોલીસ ટીમે હાજર રહીને વ્યાજખોરોની સામે હિંમતપૂર્વક બહાર આવવા અને રાજ્ય સરકાર દ્વારા જે આ મુહીમ ચલાવવામાં આવી છે તેમાં સહકાર આપવા અપીલ કરી હતી વ્યાજખોરોને કોઈપણ કાળે છોડવામાં નહીં આવે તેવી ખાત્રી અને ફરિયાદ કર્યા બાદ કોઈ કનડશે નહીં તેવી ખાત્રી પણ પોલીસ વિભાગ દ્વારા લોકોને આપવામાં આવી હતી.






Latest News