મોરબી પાલિકાને સરકારની કારણદર્શક નોટિસ: ૨૫ મી પહેલા જવાબ આપવા આદેશ
SHARE
મોરબી પાલિકાને સરકારની કારણદર્શક નોટિસ: ૨૫ મી પહેલા જવાબ આપવા આદેશ
મોરબીમાં ઝુલતો પુલ તૂટવાની ઘટનાને લઈને પાલિકાને સુપરસિડ કરવાની વાતો ઘણા સમયથી કરવામાં આવી રહી છે તેવામાં હાલમાં સરકારે પાલિકાના પ્રમુખને કારણદર્શક નોટિસ આપેલ છે અને આગામી ૨૫ મી તારીખ સુધીમાં જનરલ બોર્ડ બોલાવીને જવાબ આપવા માટેનો આદેશ કર્યો છે જેથી કરીને રાજકારણમાં ગરમાવો આવેલ છે.
મોરબીમાં ઝૂલતો પુલ પાડવાના લીધે ૧૩૫ લોકોએ તેને જીવ ગુમાવ્યા છે ત્યારે આ મુદે હાઇકોર્ટમાં સુઓમોટો અને રીટ પિટિશનની સુનાવણી ચાલી રહી છે બીજી બાજુ આ પાલિકાને સુપરસીડ કરવા માટેની દરખાસ્ત સરકારમાં મોકલાવવા આવી હતી જેથી કરીને હાલમાં સરકારે મોરબી પાલિકાના પ્રમુખને પાલિકાને સુપરસિડ કરવા મામલે કારણદર્શક નોટિસ આપેલ છે અને આગામી તા ૨૫ મી સુધીમાં જનરલ બોર્ડની બેઠક બોલાવીને સરકારમાં જવાબ રજૂ કરવા માટે જણાવ્યુ છે જેથી આગામી તા ૨૫ પહેલા પાલિકામાં જનરલ બોર્ડની બેઠક હવે ફરજિયાત બોલાવવી પડશે