મોરબીના નર્મદા બાલ ઘરની મુલાકાત લેતા યુ.કે. ના ડીમૉન્ટફોર્ટ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ
મોરબીના જાગૃત યુવાને નવી શિક્ષણ નીતિમાં બાળકના શાળા પ્રવેશ બાબતે જાહેર હિતની રિટની કરી તૈયારી
SHARE
મોરબીના જાગૃત યુવાને નવી શિક્ષણ નીતિમાં બાળકના શાળા પ્રવેશ બાબતે જાહેર હિતની રિટની કરી તૈયારી
આગામી જુન માસથી નવી શિક્ષણ નીતિ ૨૦૨૩ શરૂ થઈ રહી છે જે શિક્ષણ નીતિ મુજબ ૧ જુન ૨૦૨૩ ના રોજ છ વર્ષ પૂર્ણ થતા હશે તેવા જ બાળકોને ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવશે જો એક દિવસ પણ બાળકનો ઓછો પડશે તો તેને એક વર્ષ રાહ જોઈ પડશે જેના અનુસંધાને એક તારણ કાઢવામાં આવેલ છે કે, અંદાજિત ત્રણ માસની અંદર જો એક આંકડો કાઢવામાં આવે તો બેથી અઢી લાખ બાળકોનું ભવિષ્ય એક વર્ષ માટે શિક્ષણથી વંચિત રહે તેવું છે
સરકાર જે નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી રહી છે તે સારી છે પરંતુ સરકાર દ્વારા જળતાપૂર્વક તેનું અમલવારી એક વિચિત્ર બાબત છે કેમ કે, જન્મ મરણ તે કુદરતી પ્રક્રિયા છે જો સરકાર એવું ઈચ્છે રહી હોય કે બાળક છ વર્ષે પૂર્ણ થયા બાદ જ શિક્ષણ લે તો તે પરિપક્વ કહેવાય પરંતુ શું સરકારને જાણ નથી કે અઢી વર્ષથી જ બાળકો માટે નર્સરી, યુકેજી, એલકેજી અને પ્લે હાઉસ જેવા હટડાઓ શેરીએ ગલીએ ખુલેલા છે. તેના ઉપર અંકુશ લગાવવામાં ન આવે ત્યાં સુધી આ સારો આશ્રય ખરેખર સફળ થઈ શકે તેમ છે જ નહીં તેમ છતાં જો સરકારને નવી નીતિની અમલવારી જ કરવી જ હોય તો સત્ર શરૂ થતાની સાથે ૬૦ થી ૯૦ દિવસની છૂટ અચૂક આપવી જોઈએ જો તેવું કરવામાં આવે તો વાલીઓ ઉપર આર્થિક ભારણ અને બાળકોનું શિક્ષણ બગડશે નહીં જે માટે મારા દ્વારા જાહેર હિતની રીટ દાખલ કરવામાં આવી છે જો દરેક વાલી પોતાના બાળકનું એક વર્ષ ના બગાડવા માંગતા હોવ તો પરેશકુમાર પારીઆ (૮૭૩૨૯૧૮૧૮૩) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે









