હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબીના જાગૃત યુવાને નવી શિક્ષણ નીતિમાં બાળકના શાળા પ્રવેશ બાબતે જાહેર હિતની રિટની કરી તૈયારી


SHARE











મોરબીના જાગૃત યુવાને નવી શિક્ષણ નીતિમાં બાળકના શાળા પ્રવેશ બાબતે જાહેર હિતની રિટની કરી તૈયારી

આગામી જુન માસથી નવી શિક્ષણ નીતિ ૨૦૨૩ શરૂ થઈ રહી છે જે શિક્ષણ નીતિ મુજબ ૧ જુન ૨૦૨૩ ના રોજ છ વર્ષ પૂર્ણ થતા હશે તેવા જ બાળકોને ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવશે જો એક દિવસ પણ બાળકનો ઓછો પડશે તો તેને એક વર્ષ રાહ જોઈ પડશે જેના અનુસંધાને એક તારણ કાઢવામાં આવેલ છે કે, અંદાજિત ત્રણ માસની અંદર જો એક આંકડો કાઢવામાં આવે તો બેથી અઢી લાખ બાળકોનું ભવિષ્ય એક વર્ષ માટે શિક્ષણથી વંચિત રહે તેવું છે

સરકાર જે નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી રહી છે તે સારી છે પરંતુ સરકાર દ્વારા જળતાપૂર્વક તેનું  અમલવારી એક વિચિત્ર બાબત છે કેમ કે, જન્મ મરણ તે કુદરતી પ્રક્રિયા છે જો સરકાર એવું ઈચ્છે રહી હોય કે બાળક છ વર્ષે પૂર્ણ થયા બાદ જ શિક્ષણ લે તો તે પરિપક્વ કહેવાય પરંતુ શું સરકારને જાણ નથી કે અઢી વર્ષથી જ બાળકો માટે નર્સરી, યુકેજી, એલકેજી અને પ્લે હાઉસ જેવા હટડાઓ શેરીએ ગલીએ ખુલેલા છે. તેના ઉપર અંકુશ લગાવવામાં ન આવે ત્યાં સુધી આ સારો આશ્રય ખરેખર સફળ થઈ શકે તેમ છે જ નહીં તેમ છતાં જો સરકારને નવી નીતિની અમલવારી જ કરવી જ હોય તો સત્ર શરૂ થતાની સાથે ૬૦ થી ૯૦ દિવસની છૂટ અચૂક આપવી જોઈએ જો તેવું કરવામાં આવે તો વાલીઓ ઉપર આર્થિક ભારણ અને બાળકોનું શિક્ષણ બગડશે નહીં જે માટે મારા દ્વારા જાહેર હિતની રીટ દાખલ કરવામાં આવી છે જો દરેક વાલી પોતાના બાળકનું એક વર્ષ ના બગાડવા માંગતા હોવ તો પરેશકુમાર પારીઆ (૮૭૩૨૯૧૮૧૮૩) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News