ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી પાસે કન્ટેનર પલ્ટી મારી ડીવાઇડર પર ચડી ગયું, ચારને ઇજા


SHARE













મોરબીના ટીંબડી પાસે કન્ટેનર પલ્ટી મારી ડીવાઇડર પર ચડી ગયું, ચારને ઇજા

મોરબીના માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયા પાસે હાઇવે રોડના ડિવાઈડર ઉપર કન્ટેનર ચડી ગયું હતું.મોરબીના ટીંબડી ગામના પાટીયા નજીક સાંજના સમયે મોરબી બાજુ જતું કન્ટેનર અચાનક રોડ ઉપર પલ્ટી મારી ગયું હતું.કન્ટેનર રોડની વચ્ચેના ડિવાઈડર ઉપર ચડી ગયું હોય અને રોડની બંને સાઈડ કન્ટેનર આવી જતા થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો.જો કે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ હોવાના સમાચાર મળેલ નથી.

વધુમાં મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળીયા હાઇવે ટીંબડી ગામના પાટીયા પાસે કન્ટેનર ટ્રક પલટી મારી ગયો હતો જે બનાવમાં જોગેન્દ્રભાઈ બિરાજીભાઈ મુખીયા (૩૬), અભેરૂન મોહમ્મદ ઈસ્માઈલ (૨૬), દીપક લખનમુખીયા (૪૨) અને રાજુ હીરાભાઈ હળવાઈ (૧૮) રહે.બધા કુવાડવા સી.કે.જીન કારખાનામાં વાળાઓને ઈજા પહોંચી હતી જેથી ચારેયને પ્રથમ ટંકારા હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવાયા બાદ ચારેયને વધુ સારવાર માટે રાજકોટ સીવીલે એડમિટ કરાયા હતા.જેથી રાજકોટ ખાતે પોલીસમાં નોંધ થતા ત્યાંથી મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવેલ હોય હાલ તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે મોરબીના માળિયા મિંયાણા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયાથી વાંકાનેર હાઈવે સુધી આવેલ વઘાસીયા ટોલનાકા વચ્ચે ભારે મોટી માત્રામાં ભાર વાહનોની અવરજવર રહે છે અને અનેક જગ્યાએ મુખ્ય હાઇવે અને સર્વિસ રોડ ઉપર ભયજનક વણાંકો હોવાના લીધે તેમ જ મનફાવે તેમ હાઇવે ઉપર ડિવાઈડર તોડીને રસ્તા કાઢવામાં આવ્યા હોવાના લીધે અકસ્માતો સર્જાય છે માટે હાઇવે ઓથોરિટી દ્રારા ખાસ કિસ્સામાં સર્વે કરાવીને એક ગામથી બીજા ગામ સુધી મુખ્ય હાઇવે ઉપર કોઈપણ ગેપ ન રહે અને એક ગામથી બીજે ગામ સુધી હાઇવે ઉપરના તમામ રસ્તાઓ બંધ કરી ગામની મુખ્ય જગ્યાએ સર્કલ બનાવવામાં આવે તો આવા અકસ્માતો નિવારી શકાય તેમ છે.






Latest News