મોરબીના ઘુંટુ ગામે ઘરેથી દુકાને વસ્તુ લેવા જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ મોરબી: પત્ની સાથે ઝઘડો થયા બાદ દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં સ્વ.રમણીકભાઈ જગજીવનભાઈ પોપટ તથા પોપટ પરિવારના સહયોગથી યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૮ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં કામે જવા માટેનું કહીને નીકળેલ યુવાન ગુમ, શોધખોળ ચાલુ વાંકાનેરના તરકીયા ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1600 લિટર આથા સાથે એક શખ્સ ઝડપાયો હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી પાસે કન્ટેનર પલ્ટી મારી ડીવાઇડર પર ચડી ગયું, ચારને ઇજા


SHARE











મોરબીના ટીંબડી પાસે કન્ટેનર પલ્ટી મારી ડીવાઇડર પર ચડી ગયું, ચારને ઇજા

મોરબીના માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયા પાસે હાઇવે રોડના ડિવાઈડર ઉપર કન્ટેનર ચડી ગયું હતું.મોરબીના ટીંબડી ગામના પાટીયા નજીક સાંજના સમયે મોરબી બાજુ જતું કન્ટેનર અચાનક રોડ ઉપર પલ્ટી મારી ગયું હતું.કન્ટેનર રોડની વચ્ચેના ડિવાઈડર ઉપર ચડી ગયું હોય અને રોડની બંને સાઈડ કન્ટેનર આવી જતા થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો.જો કે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ હોવાના સમાચાર મળેલ નથી.

વધુમાં મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળીયા હાઇવે ટીંબડી ગામના પાટીયા પાસે કન્ટેનર ટ્રક પલટી મારી ગયો હતો જે બનાવમાં જોગેન્દ્રભાઈ બિરાજીભાઈ મુખીયા (૩૬), અભેરૂન મોહમ્મદ ઈસ્માઈલ (૨૬), દીપક લખનમુખીયા (૪૨) અને રાજુ હીરાભાઈ હળવાઈ (૧૮) રહે.બધા કુવાડવા સી.કે.જીન કારખાનામાં વાળાઓને ઈજા પહોંચી હતી જેથી ચારેયને પ્રથમ ટંકારા હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવાયા બાદ ચારેયને વધુ સારવાર માટે રાજકોટ સીવીલે એડમિટ કરાયા હતા.જેથી રાજકોટ ખાતે પોલીસમાં નોંધ થતા ત્યાંથી મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવેલ હોય હાલ તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે મોરબીના માળિયા મિંયાણા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયાથી વાંકાનેર હાઈવે સુધી આવેલ વઘાસીયા ટોલનાકા વચ્ચે ભારે મોટી માત્રામાં ભાર વાહનોની અવરજવર રહે છે અને અનેક જગ્યાએ મુખ્ય હાઇવે અને સર્વિસ રોડ ઉપર ભયજનક વણાંકો હોવાના લીધે તેમ જ મનફાવે તેમ હાઇવે ઉપર ડિવાઈડર તોડીને રસ્તા કાઢવામાં આવ્યા હોવાના લીધે અકસ્માતો સર્જાય છે માટે હાઇવે ઓથોરિટી દ્રારા ખાસ કિસ્સામાં સર્વે કરાવીને એક ગામથી બીજા ગામ સુધી મુખ્ય હાઇવે ઉપર કોઈપણ ગેપ ન રહે અને એક ગામથી બીજે ગામ સુધી હાઇવે ઉપરના તમામ રસ્તાઓ બંધ કરી ગામની મુખ્ય જગ્યાએ સર્કલ બનાવવામાં આવે તો આવા અકસ્માતો નિવારી શકાય તેમ છે.






Latest News