મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરાઇ
મોરબીની ખાનપર શાળામાં શતાબ્દી મહોત્સવ ઉજવાયો
SHARE
મોરબીની ખાનપર શાળામાં શતાબ્દી મહોત્સવ ઉજવાયો
આજે સમગ્ર દેશમાં સ્વતંત્રતાનો અમૃત મહોત્સવની ઉજવાણી થઈ રહી છે ત્યારે હાલ સરકારી શાળાઓની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યા છે ત્યારે મોરબી તાલુકાની ખાનપર મુકામે આવેલી શાળાને ૧૦૦ વર્ષ પૂરા થતા ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો જેમાં ખાનપર કુમાર શાળા, ખાનપર કન્યા શાળા અને લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાનપરનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ થયો હતો જેમાં બાળકો દ્વારા ખૂબજ સુંદર કૃતિ રજૂ કરીને પોતાના અભિનયના ઓજસ પાથરી ગામજનોને પ્રભાવિત કર્યા હતા અને ગ્રામજનોએ શાળા અને બાળકોના વિકાસ માટે આશરે ૨.૬૦ લાખ જેટલો ફાળો એકત્ર કરીને પ્રોગ્રામમાં ચાર ચાંદ લગાવી દીધા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા ત્રણેય શાળાના સમગ્ર સ્ટાફ તેમજ ગ્રામજનોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.









