મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામે વાડીએ ઝેરી દવા પી લેનાર પરિણીતાનું મોત


SHARE





ટંકારાના સજનપર ગામે વાડીએ ઝેરી દવા પી લેનાર પરિણીતાનું મોત

ટંકારા તાલુકાના સજનપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતી પરણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવી હતી જો કે, હોસ્પિટલે ફરજ ઉપરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી અને આપઘાતના બનાવની ટંકારની સરકારી હોસ્પિટલમાંથી ટંકારા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સજનપર ગામે હસમુખભાઈ રામજીભાઈ કાસુન્દ્રાની વાડીએ રહીને મજૂરી કામ કરતા દશરથભાઈ ભાખડા જાતે ભીલ આદિવાસીના પત્ની રસીલાબેન દશરથભાઈ ભાખડા જાતે ભીલ આદિવાસી (ઉંમર ૧૯) વાડીએ હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ૧૦૮ મારફતે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે, ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવની ટંકારા હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક પરિણીતાનો લગ્ન ગાળો આઠ માસનો હતો અને તેને સંતાન ન હતા હાલમાં દંપતી સાસુ સસરાથી અલગ રહેતું હતું જો કે, પરણીતાએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં હાલમાં પોલીસ આગળની તપાસ કરી રહી છે.

જુગાર

મોરબીના ત્રાજપર ગામે બહુચરાજી માતાજીના મઢવાળી શેરીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા રવિભાઈ અશોકભાઈ વરાણીયા (૨૨), ધરમશીભાઈ ઉર્ફે લાલો રાજુભાઈ ગણેશિયા (૨૫) અને ઝાલાભાઇ સિંધાભાઈ ગોલતર (૩૫) મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૯૩૦ ની રોકડ કબજે કરી હતી અને આરોપીને પકડીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.




Latest News