મોરબીના ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધને ધોકા વડે માર માર્યો મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ મોરબીના નવા જાંબુડિયા ગામે માવતરના ઘરે રિસામણે બેઠેલ પરિણીતાએ કર્યો આપઘાત મોરબી નજીક કારખાનાની કોલોનીમાં ફાંસો ખાઈને યુવાનનો આપઘાત: બીમારી સબબ આધેડનું સારવારમાં મોત મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ચાંચપર પાસે સગા ભાઈની હત્યા કરનારા આરોપીની ધરપકડ


SHARE











મોરબીના ચાંચપર પાસે સગા ભાઈની હત્યા કરનારા આરોપીની ધરપકડ

મોરબીના ચાંચપર ગામ નજીક યુવાનની હત્યા કરેલ લાશ મળી આવી હતી જે બનાવમાં હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે અને હત્યાનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે જેમાં મૃતક યુવાને તેની જ જનેતા સાથે ખરાબ કૃત્ય આચરવાની કોશિશ કરી હતી જેથી તેને તેના જ સગાભાઈએ તેને મારી નાખ્યો હતો અને તે સમયે ત્યાં હાજર રહેલા મૃતક અને આરોપીના મિત્રની ફરિયાદ લઈને પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ચાંચપર ગામે વોકળામાંથી યુવાનની લાશ મળી હતી જેથી કરીને પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે અને મૃતક યુવાનની હત્યા તેના જ સગા ભાઈએ કરી છે તેવું સામે આવ્યું છે જે બનાવમાં હત્યા કરનારા શખ્સની સામે મૃતક અને હત્યારાના મિત્ર રાજેશ ઉમેશપ્રસાદ પાંડેએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સામે ફરિયાદ નોંધાવી છેજેમાં તેને જણાવ્યુ છે કે, આનંદ અશોકભાઈ મીશ્રા રહે. મીશ્રવલીયા જી. રોહતાસ (બીહાર) હાલ- વૈભવપોલીવીવકારખાનામાંથોરાળા ગામની સીમ વાળાએ તેના સગા ભાઈ રાજન મિશ્રાની હત્યા કરેલ છે વધુમાં જણાવ્યુ છે કે, આનંદ મિશ્રા અને રાજન મિશ્રા તેની સાથે કામ કરતા હતા અને થોડા સમય પહેલા રાજન બિહારથી રોજી રોટી માટે થોરાળા આવ્યો હતો અને ત્રણેય એક જ ઓરડીમાં રહેતા હતા. જો કે, રાજન મિશ્રા ચોરી ચપાટી કરતો હતો અને તેમજ સગી માતા સાથે બે ત્રણ વખત ખરાબ કૃત્ય કરવા કોશિશ કરી હતી દરમ્યાન થોડા સમય પહેલા રાજેશઆનંદ અને રાજન ત્રણેય ચાંચપર ગામ તરફ ગયા હતા જ્યાંથી ચીકન લઈ પરત આવતા હતા ત્યારે રસ્તામાં વોકળામા ચિકન ખાવા બેઠા હતા ત્યારે આનંદ મિશ્રાએ તેના સગા ભાઈ રાજનને સફેદ કપડાથી ગળેટૂંપો આપ્યો હતો અને વોકળામા ભરેલ પાણીમા ડુબાડીને તેની હત્યા કરી નાખી હતી ત્યાર બાદ ફરિયાદીને હત્યારા આનંદે એવી ધમકી આપી હતી કે, આ વાત કોઈને કહીશ તો તારા હાલ પણ આવા કરીશ જેથી તેને કોઈને કહ્યું ન હતું અને ત્યાર બાદ પોલીસ સ્ટેશને હત્યાની ફરિયાદ નોંધાવી છે જેનો પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખીને પોલીસે આરોપી આનંદ ઉર્ફે અશોકભાઈ પ્રેમકિશોર મીશ્રા (૨૬) રહે. મીશ્રવલીયા જી. રોહતાસ (બીહાર) હાલ રહે વૈભવપોલીવેકારખાનામાંથોરાળા ગામની સીમ વાળાની ધરપકડ કરલે છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News