વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં વળતર ચૂકવવા જયસુખભાઈ પટેલે હાઇકોર્ટમાં કર્યું એફિડેવિટ


SHARE













મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં વળતર ચૂકવવા જયસુખભાઈ પટેલે હાઇકોર્ટમાં કર્યું એફિડેવિટ

આજે હાઇકોર્ટમાં મોરબીના ઝૂલતા પુલ મુદે સુનાવણી થઈ હતી ત્યારે સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. તેની સાથે ઓરેવા ગ્રૂપના જયસુખભાઈ પટેલના વકીલ દ્વારા વળતર આપવા પણ તૈયારી દર્શાવાઈ હતી

મોરબીમાં ૩૦ ઓક્ટોબરના રોજ ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો અને મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા અને ઘણા લોકોને ઇજાઓ થયેલ હતી આ ઘટનાને ત્રણ મહિના જેટલો સમય થવા આવેલ છે તો પણ આજ સુધી ઓરેવા ગ્રૂપ કે જેને ઝૂલતા પુલનું સંચાલન આપવામાં આવ્યું હતું તેના જયસુખભાઇ પટેલ દ્વારા કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું ન હતું પરંતુ હાઇકોર્ટમાં સુઓમોટો અને જાહેર હિતની અરજીની સુનાવણી ચાલી રહી છે. ત્યારે આજે સરકારે હાઇકોર્ટમાં રાજ્યના બ્રિજની સ્થિતિને લઈ જવાબ રજૂ કર્યો છે. જેમાં જણાવ્યુ છે કે, કોર્પોરેશનની હદમાં ૧૬૮ મેજર બ્રિજ છે જેમાંથી ૬૩ મેજર બ્રિજમાં મેજર રીપેરીંગની જરૂર છે. અને પાલિકા વિસ્તારમાં ૩૨ મેજર બ્રિજ અને ૮૧ માઈનર બ્રિજ છે. જેમાં સમયાંતરે રિપેરિંગ કામ કરવામાં આવે છે તો ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલને સુઓમોટો પિટીશનમાં પક્ષકાર તરીકે જોડ્યા છે. અને હાઈકોર્ટે મોરબી પાલિકનો ઉધડો લીધો હતો. અને કહ્યું હતું કે, બ્રિજની સ્થિતિ ખરાબ છે એ ખબર હતી તો પગલા કેમ ન લીધા” અને આજની કાર્યવાહી દરમ્યાન એફિડેવિટ મારફતે જયસુખભાઈ પટેલે નિવેદન આપ્યું છે. જેમાં જયસુખભાઈ પટેલે જણાવ્યુ છે કે, ૧૩૫ લોકોના જીવ ગયાની આ ઘટના ઘણી દુઃખદ છે અને તેનો કોઈ કોમર્શિયલ એક્ટિવિટીનો ઈરાદો ન હતો. જો કે, તે મૃતકો અને ઈજાગ્રસ્તોને વળતર ચૂકવવા માટે તૈયાર છે ત્યારે કોર્ટે આ કેસમાં એવી સ્પષ્ટતા કરી હતી કે વળતરની ચુકવણી કંપનીને તેની જવાબદારીમાંથી મુક્ત કરશે નહીં અથવા તેમને આ ઘટનાને લગતા અન્ય કોઈપણ કાયદામાં તેમની સામેની કોઈપણ કાર્યવાહી કે કેસમાં કોઈ લાભ આપશે નહીં. અને મોટર વ્હિકલ એક્ટ મુજબ પીડિતો અને મૃતકોને વળતર ચૂકવવા માટે ગણતરી કરવાની રહેશે






Latest News