મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં યદુનંદન ગૌશાળા નજીક  સાયકલમાંથી પડી જતાં ઇજા પામેલા બાળકનું સારવારમાં મોત


SHARE











મોરબીમાં યદુનંદન ગૌશાળા નજીક  સાયકલમાંથી પડી જતાં ઇજા પામેલા બાળકનું સારવારમાં મોત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલી યદુનંદન ગૌશાળા નજીક મચ્છુ નદી પાસે સાયકલ ઉપરથી પડી જતા બાળકને ઇજા થઈ હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાધનપુર લઈને ગયા હતા અને ત્યાં સારવાર માટે અમદાવાદ લઈને આવ્યા હતા ત્યાં બાળકનું મોત નિપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ કચ્છ જિલ્લાના કાનમેર ગામના રહેવાસી બાબુભાઈ ભરવાડનો ૧૪ વર્ષનો દીકરો ધવલ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલી યદુનંદન ગૌશાળા પાસે મચ્છુ નદી નજીક સાયકલ ઉપરથી નીચે પડી ગયો હતો જેથી કરીને તેને શરીરે ઇજા થઈ હોવાથી અહીંયા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાધનપુરની મિત ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાર બાદ વધુ સારવાર માટે તેને જનતા હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા તેમ છતાં પણ બાળકને ફેર ન પડતાં તેને સારવાર માટે અમદાવાદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે બાળકનું મોત નિપજ્યું હતું જેથી કરીને અમદાવાદની સરકારી હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મૃત્યુના આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા કિશોરભાઈ દેવરાજભાઈ ફેફર (૪૩) મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ઈજા થવાથી કિશોરભાઈને પ્રાથમિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ જવામાં આવેલ છે હાલમાં અકસ્માતના બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એન્ટિક સિરામિક નજીક કેનાલ પાસે બાઈક સ્લીપ થયું હતું જેથી કરીને વિનોદરાય ભવનભાઈ વડારીયા (૬૦) રહે. ઉમા ટાઉનશીપ મોરબી વાળાને ઇજા થઈ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસ અકસ્માતના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News