મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં આર્થિક સંકડામણના લીધે દવા પી ગયેલ યુવાન સારવારમાં


SHARE











મોરબીમાં આર્થિક સંકડામણના લીધે દવા પી ગયેલ યુવાન સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર આવેસ દુકાન ખાતે યુવાન ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને બાદમાં પોલીસે તપાસ કરતા આર્થિક સંકળામણના લીધે તેણે ઉપરોકત પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ વિગતો મુજબ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર જતા રોડ નજીક આવેલ વર્ધમાનનગરના બ્લોક નંબર-૨ ખાતે રહેતો નરેશભાઇ દેવજીભાઈ રાઠોડ નામનો ૪૦ વર્ષનો યુવાન મોરબીના શનાળા રોડ કે.કે.સ્ટીલની સામે આવેલ પ્રિન્ટ સેન્ટર નામની દુકાને ઝેરી દવા અને ફીનાઇલ પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે અહિંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી જેથી કરીને એ ડિવિઝન પોલીસ મથકના ઇન્વે.અધિકારી વિપુલભાઈ ફૂલતરીયા દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી હતી અને પ્રાથમિક તપાસમાં ખુલ્યુ હતુ કે નરેશભાઈ પ્રિન્ટ સેન્ટર નામે પ્રિન્ટ અને ઝેરોક્ષ સહિતની સ્ટેશનરીને લગતી કામગીરીની દુકાન ચલાવે છે અને છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકળામણ રહેતી હોય જેને પગલે પરીવાર કેમ ચલાવવો તેના ટેન્સનમાં તેઓએ ઉપરોકત પગલું ભરી લીધું હતું.તેમ તપાસ અધીકારી વી.કે.ફુલતરીયાએ જણાવેલ છે.

વાહન અકસ્માતના બનાવમાં ધરપકડ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં થયેલ વાહન અકસ્માતના બનાવમાં મોત નીપજયુ હોવાનો બનાવ બન્યો હતો જેમાં નોંધાયેલ ફરિયાદના આધારે તાલુકા પીએસઆઇ બી.એ.ગઢવી દ્વારા વાહન અકસ્માત સર્જનાર જીતેન્દ્રકુમાર દીનાનાથ પાલ (૪૦) રહે.ગાંધીધામ કાર્ગો મોટર્સની સામે કાર્ગો ઝુંપડપટ્ટી ગાંધીધામ (કચ્છ) ભુજ વાળાની ફેટલના ગુનામાં ધરપકડ કરી હતી.

રીક્ષા પલ્ટી જતા ઈજા

ટંકારાના નેકનામ ગામે રહેતો મનોજ અમૃતલાલ સોલંકી નામનો ૨૩ વર્ષનો યુવાન રિક્ષામાં જતો હતો ત્યારે રાજકોટ હાઇવે વીરપર પાસે આવેલ વિરાટ હોટલ નજીક તેઓની રીક્ષા પલ્ટી જતા ઈજા થતા મનોજ સોલંકીને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News