મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીમાં આર્થિક સંકડામણના લીધે દવા પી ગયેલ યુવાન સારવારમાં


SHARE











મોરબીમાં આર્થિક સંકડામણના લીધે દવા પી ગયેલ યુવાન સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર આવેસ દુકાન ખાતે યુવાન ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને બાદમાં પોલીસે તપાસ કરતા આર્થિક સંકળામણના લીધે તેણે ઉપરોકત પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ વિગતો મુજબ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર જતા રોડ નજીક આવેલ વર્ધમાનનગરના બ્લોક નંબર-૨ ખાતે રહેતો નરેશભાઇ દેવજીભાઈ રાઠોડ નામનો ૪૦ વર્ષનો યુવાન મોરબીના શનાળા રોડ કે.કે.સ્ટીલની સામે આવેલ પ્રિન્ટ સેન્ટર નામની દુકાને ઝેરી દવા અને ફીનાઇલ પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે અહિંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી જેથી કરીને એ ડિવિઝન પોલીસ મથકના ઇન્વે.અધિકારી વિપુલભાઈ ફૂલતરીયા દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી હતી અને પ્રાથમિક તપાસમાં ખુલ્યુ હતુ કે નરેશભાઈ પ્રિન્ટ સેન્ટર નામે પ્રિન્ટ અને ઝેરોક્ષ સહિતની સ્ટેશનરીને લગતી કામગીરીની દુકાન ચલાવે છે અને છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકળામણ રહેતી હોય જેને પગલે પરીવાર કેમ ચલાવવો તેના ટેન્સનમાં તેઓએ ઉપરોકત પગલું ભરી લીધું હતું.તેમ તપાસ અધીકારી વી.કે.ફુલતરીયાએ જણાવેલ છે.

વાહન અકસ્માતના બનાવમાં ધરપકડ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં થયેલ વાહન અકસ્માતના બનાવમાં મોત નીપજયુ હોવાનો બનાવ બન્યો હતો જેમાં નોંધાયેલ ફરિયાદના આધારે તાલુકા પીએસઆઇ બી.એ.ગઢવી દ્વારા વાહન અકસ્માત સર્જનાર જીતેન્દ્રકુમાર દીનાનાથ પાલ (૪૦) રહે.ગાંધીધામ કાર્ગો મોટર્સની સામે કાર્ગો ઝુંપડપટ્ટી ગાંધીધામ (કચ્છ) ભુજ વાળાની ફેટલના ગુનામાં ધરપકડ કરી હતી.

રીક્ષા પલ્ટી જતા ઈજા

ટંકારાના નેકનામ ગામે રહેતો મનોજ અમૃતલાલ સોલંકી નામનો ૨૩ વર્ષનો યુવાન રિક્ષામાં જતો હતો ત્યારે રાજકોટ હાઇવે વીરપર પાસે આવેલ વિરાટ હોટલ નજીક તેઓની રીક્ષા પલ્ટી જતા ઈજા થતા મનોજ સોલંકીને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News