મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના વાછકપર ગામેથી યુવતીને ભગાડી ગયેલા યુવાનના માતા-પિતાને મહિલા સહિત ચાર લોકોએ મારમાર્યો


SHARE











ટંકારાના વાછકપર ગામેથી યુવતીને ભગાડી ગયેલા યુવાનના માતા-પિતાને મહિલા સહિત ચાર લોકોએ મારમાર્યો

ટંકારા તાલુકાના વાછકપર ગામેથી મહિલાનો દીકરો એક શખ્સની ભત્રીજીને ભગાડી ગયો હતો જેથી કરીને યુવાનના ઘર પાસે આવીને યુવતીના કાકા ગાળો બોલતા હતા જેથી યુવાનની માતા અને પિતા તેને સમજાવવા માટે ગયા હતા ત્યારે યુવતીના કાકા અને એક મહિલા સહિત કુલ મળીને ચાર વ્યક્તિઓ દ્વારા તેને ઢીકાપાટુ અને લાકડી વડે માર મારીને ગાળો આપવામાં આવી હતી જેથી હાલમાં બનેલ મહિલા દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત ચારની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે રહેતા મધુબેન ધીરુભાઈ દારોદરા જાતે કોળી (૪૦)એ હાલમાં રણજીતભાઈ બાબુભાઈ દારોદરા, ભાણજીભાઈ સીદીભાઈ દારોદરા, દિનેશભાઈ સીદીભાઈ દારોદરા અને કંચનબેન ઉમેશભાઈ ઝીંઝવાડીયા રહે. ચારેય વાછકપર તાલુકો ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપી રણજીતભાઈ દારોદરાની ભત્રીજીને ફરિયાદી મહિલાનો દીકરો ભગાડી ગયેલ છે જેથી આરોપી રણજીત તેના ઘર પાસે આવીને ગાળો બોલતો હતો જેથી ફરિયાદી મધુબેન તથા તેના પતિ ધીરુભાઈની સાથે તેને સમજાવવા માટે વાછકપર ગયા હતા ત્યારે મહિલા સહિતના ચારેય વ્યક્તિઓ દ્વારા તમે કુટુંબની જ દીકરીઓ ભગાડી જાવ તો તેમ કહીને એકદમ ઉસકેરાઈ ગયા હતા અને ગાળો આપી હતી ત્યારબાદ ભાણજીભાઈ દારોદરાએ લાકડી વડે માર માર્યો હતો અને દિનેશભાઈ તથા ભાણજીભાઈએ ઢીકાપાટુનો દંપતીને માર માર્યો હતો જેથી ભોગ બનેલ મહિલા અને તેના પતિને સારવાર માટે લઈને ગયા હતા અને સારવાર લીધા બાદ મહિલાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News