મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે
Breaking news
Morbi Today

ટંકારાના વાછકપર ગામેથી યુવતીને ભગાડી ગયેલા યુવાનના માતા-પિતાને મહિલા સહિત ચાર લોકોએ મારમાર્યો


SHARE















ટંકારાના વાછકપર ગામેથી યુવતીને ભગાડી ગયેલા યુવાનના માતા-પિતાને મહિલા સહિત ચાર લોકોએ મારમાર્યો

ટંકારા તાલુકાના વાછકપર ગામેથી મહિલાનો દીકરો એક શખ્સની ભત્રીજીને ભગાડી ગયો હતો જેથી કરીને યુવાનના ઘર પાસે આવીને યુવતીના કાકા ગાળો બોલતા હતા જેથી યુવાનની માતા અને પિતા તેને સમજાવવા માટે ગયા હતા ત્યારે યુવતીના કાકા અને એક મહિલા સહિત કુલ મળીને ચાર વ્યક્તિઓ દ્વારા તેને ઢીકાપાટુ અને લાકડી વડે માર મારીને ગાળો આપવામાં આવી હતી જેથી હાલમાં બનેલ મહિલા દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત ચારની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે રહેતા મધુબેન ધીરુભાઈ દારોદરા જાતે કોળી (૪૦)એ હાલમાં રણજીતભાઈ બાબુભાઈ દારોદરા, ભાણજીભાઈ સીદીભાઈ દારોદરા, દિનેશભાઈ સીદીભાઈ દારોદરા અને કંચનબેન ઉમેશભાઈ ઝીંઝવાડીયા રહે. ચારેય વાછકપર તાલુકો ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપી રણજીતભાઈ દારોદરાની ભત્રીજીને ફરિયાદી મહિલાનો દીકરો ભગાડી ગયેલ છે જેથી આરોપી રણજીત તેના ઘર પાસે આવીને ગાળો બોલતો હતો જેથી ફરિયાદી મધુબેન તથા તેના પતિ ધીરુભાઈની સાથે તેને સમજાવવા માટે વાછકપર ગયા હતા ત્યારે મહિલા સહિતના ચારેય વ્યક્તિઓ દ્વારા તમે કુટુંબની જ દીકરીઓ ભગાડી જાવ તો તેમ કહીને એકદમ ઉસકેરાઈ ગયા હતા અને ગાળો આપી હતી ત્યારબાદ ભાણજીભાઈ દારોદરાએ લાકડી વડે માર માર્યો હતો અને દિનેશભાઈ તથા ભાણજીભાઈએ ઢીકાપાટુનો દંપતીને માર માર્યો હતો જેથી ભોગ બનેલ મહિલા અને તેના પતિને સારવાર માટે લઈને ગયા હતા અને સારવાર લીધા બાદ મહિલાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News