વાંકાનેરની વરડુસર ચોકડીએ દુકાન પાછળ જુગાર રમતા દસ જુગારી પકડાયા
મોરબીમાં કન્યા છાત્રાલય પાસે ક્રિષ્ના પાર્કમાં રહેતી મહિલાએ અંતિમ પગલું ભરી લેતા મોત
SHARE
મોરબીમાં કન્યા છાત્રાલય પાસે ક્રિષ્ના પાર્કમાં રહેતી મહિલાએ અંતિમ પગલું ભરી લેતા મોત
મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ કન્યા છાત્રાલયની પાછળના ભાગમાં ક્રિષ્ના પાર્કમાં રહેતી મહિલાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ બિહારના કટીહાર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર કન્યા છાત્રાલયની પાછળના ભાગમાં આવેલ ક્રિષ્ના પાર્ક-૨ માં ભાડાના મકાનમાં રહેતા રૂકશાનાબાનું ઉર્ફે માયા નકીરહુસેન શેખ જાતે મુસ્લિમ (૩૨) નામની મહિલાએ પોતાના ઘરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મૂળ મધ્ય પ્રદેશના રિબા જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે હનુમાન મંદિર નજીક પ્રભુભાઈ પરસોત્તમભાઈ કુંડારીયાના મકાનમાં ભાડે રહેતા અંબિકાબેન ગુલાબરાયમાજી મલા જાતે માજી (૨૩) નામની યુવતીએ જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગત મુજબ આપઘાત કરી લેનાર મહિલા છેલ્લા થોડા દિવસોથી બીમાર રહેતી હતી અને બેચન રહેતી હતી દરમિયાન તેને પોતાના ઘરે અંતિમ પગલું ભરી લીધેલ છે જેથી હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.