મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીમાં કન્યા છાત્રાલય પાસે ક્રિષ્ના પાર્કમાં રહેતી મહિલાએ અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE











મોરબીમાં કન્યા છાત્રાલય પાસે ક્રિષ્ના પાર્કમાં રહેતી મહિલાએ અંતિમ પગલું ભરી લેતા મોત

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ કન્યા છાત્રાલયની પાછળના ભાગમાં ક્રિષ્ના પાર્કમાં રહેતી મહિલાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ બિહારના કટીહાર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર કન્યા છાત્રાલયની પાછળના ભાગમાં આવેલ ક્રિષ્ના પાર્ક-૨ માં ભાડાના મકાનમાં રહેતા રૂકશાનાબાનું ઉર્ફે માયા નકીરહુસેન શેખ જાતે મુસ્લિમ (૩૨) નામની મહિલાએ પોતાના ઘરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મૂળ મધ્ય પ્રદેશના રિબા જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે હનુમાન મંદિર નજીક પ્રભુભાઈ પરસોત્તમભાઈ કુંડારીયાના મકાનમાં ભાડે રહેતા અંબિકાબેન ગુલાબરાયમાજી મલા જાતે માજી (૨૩) નામની યુવતીએ જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગત મુજબ આપઘાત કરી લેનાર મહિલા છેલ્લા થોડા દિવસોથી બીમાર રહેતી હતી અને બેચન રહેતી હતી દરમિયાન તેને પોતાના ઘરે અંતિમ પગલું ભરી લીધેલ છે જેથી હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News