મોરબીમાં કન્યા છાત્રાલય પાસે ક્રિષ્ના પાર્કમાં રહેતી મહિલાએ અંતિમ પગલું ભરી લેતા મોત
મોરબીના પંચાસર ગામે પતિએ ઠપકો આપતા કૂવામાં ઝંપલાવનાર પરિણીતાનું મોત
SHARE
મોરબીના પંચાસર ગામે પતિએ ઠપકો આપતા કૂવામાં ઝંપલાવનાર પરિણીતાનું મોત
મોરબીના પંચાસર ગામે વાડીએ રાઇન મજૂરી કામ કરતી મહિલાને તેના પતિએ ઠપકો આપ્યો હતો જેથી કરીને ઓરડીની બાજુમાં આવેલ કુવામાં ઝંપલાવીને પરણીતાએ આપઘાત કર્યો છે જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મૃતક પરણીતાના પતિએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પંચાસર ગામની સીમમાં દિલુભા દાદુભાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મૂળ છોટા ઉદયપુર જિલ્લાના કવાંટ તાલુકાના રેણકી ગામના રહેવાસી નમલેશભાઈ દેવજીભાઈ રાઠવા જાતે આદિવાસી (૪૪) ના પત્ની ખારવીબેન નમલેશભાઈ રાઠવા જાતે આદિવાસી (૩૪) એ વાડીની બાજુમાં આવેલ કુવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મૃતક મહિલાના પતિએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક મહિલાના પતિ પાસેથી પ્રાથમિક તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી છે કે, મૃતક મહિલા તેના પતિ સાથે વતનમાં સાઢુભાઈના લગ્નમાં ગયેલ ત્યારે લગ્નમાં જવાના બદલે મૃતક મહિલા તેના પિયરમાં જતી રહેલ હતી જે બાબતે મૃતક મહિલાના પતિએ તેને ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતા તેણે પંચાસર ગામે આવેલ વાડી ખાતે બધા રાત્રિના સમયે સૂતા હતા ત્યારે મનોમન લાગી આવતા ઓરડીની બાજુમાં આવેલ કુવાના પાણીમાં પડીને પોતાની જાતે આત્મહત્યા કરી લીધેલ છે