મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર ગામે પતિએ ઠપકો આપતા કૂવામાં ઝંપલાવનાર પરિણીતાનું મોત


SHARE











મોરબીના પંચાસર ગામે પતિએ ઠપકો આપતા કૂવામાં ઝંપલાવનાર પરિણીતાનું મોત

મોરબીના પંચાસર ગામે વાડીએ રાઇન મજૂરી કામ કરતી મહિલાને તેના પતિએ ઠપકો આપ્યો હતો જેથી કરીને ઓરડીની બાજુમાં આવેલ કુવામાં ઝંપલાવીને પરણીતાએ આપઘાત કર્યો છે જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મૃતક પરણીતાના પતિએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પંચાસર ગામની સીમમાં દિલુભા દાદુભાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મૂળ છોટા ઉદયપુર જિલ્લાના કવાંટ તાલુકાના રેણકી ગામના રહેવાસી નમલેશભાઈ દેવજીભાઈ રાઠવા જાતે આદિવાસી (૪૪) ના પત્ની ખારવીબેન નમલેશભાઈ રાઠવા જાતે આદિવાસી (૩૪) એ વાડીની બાજુમાં આવેલ કુવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મૃતક મહિલાના પતિએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક મહિલાના પતિ પાસેથી પ્રાથમિક તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી છે કે, મૃતક મહિલા તેના પતિ સાથે વતનમાં સાઢુભાઈના લગ્નમાં ગયેલ ત્યારે લગ્નમાં જવાના બદલે મૃતક મહિલા તેના પિયરમાં જતી રહેલ હતી જે બાબતે મૃતક મહિલાના પતિએ તેને ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતા તેણે પંચાસર ગામે આવેલ વાડી ખાતે બધા રાત્રિના સમયે સૂતા હતા ત્યારે મનોમન લાગી આવતા ઓરડીની બાજુમાં આવેલ કુવાના પાણીમાં પડીને પોતાની જાતે આત્મહત્યા કરી લીધેલ છે






Latest News