મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીના જુદીજુદી જ્ઞાતિ-સમાજના લોકો આવ્યા જયસુખભાઇ પટેલના સમર્થનમાં: સોશ્યલ મીડિયામાં ધડોધડ પોસ્ટ વાઇરલ


SHARE





મોરબીના જુદીજુદી જ્ઞાતિ-સમાજના લોકો આવ્યા જયસુખભાઇ પટેલના સમર્થનમાં: સોશ્યલ મીડિયામાં ધડોધડ પોસ્ટ વાઇરલ

મોરબીની ઝુલતાં પુલની ઘટનામાં જયસુખભાઇ પટેલની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં તે રિમાન્ડ ઉપર છે ત્યારે મોરબીમાં ભાલોડીયા પરિવારને ભામાશા તરીકે લોકો જાણે છે તે પરિવારના જયસુખભાઇ પટેલના સમર્થનમાં જુદાજુદા જ્ઞાતિ અને સમાજના આગેવાનો આવ્યા છે અને હાલમાં સોશ્યલ મીડિયામાં પોસ્ટ ધડોધડ વાઇરલ કરવામાં આવેલ છે

મોરબીના ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં પહેલા નવ આરોપીને પકડવામાં આવ્યા હતા અને છેલ્લે ઓરેવા ગ્રૂપના જયસુખભાઈ પટેલની ધડપકડ કરીને તેને હાલમાં રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે ત્યારે હજુ સુધી પાલિકાના અધિકારી, પદાધિકારીએ કે સભ્યોની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તે હક્કીત છે જેથી કરીને હવે સોશ્યલ મીડિયા ઉપર જયસૂખભાઈ પટેલનું ખુલ્લુ સમર્થન કરવામાં આવી રહ્યું છે અને હાલમાં આઈ સપોર્ટ જયસુખભાઈ પટેલનામથી મુમેંટ શરૂ કરવામાં આવી છે

અત્યાર સુધી આવી કોઈ પોસ્ટ આવી ન હતી જો કે, ગુરુવારે સવારથી સોશિયલ મીડિયા પર પોસ્ટનો મારો શરૂ કરવામાં આવ્યો છે અને હાલમાં ફેસબુક તેમજ વ્હોટ્સ એપ ઉપર લોકો જયસુખભાઈ પટેલના સમર્થનની પોસ્ટ મૂકી રહ્યા છે અને તેના પિતા એસડબલ્યુ. ઓધવજીભાઈ પટેલ અને તેનો પરિવાર સામાજિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યો છે અને લોકોની મદદ કરી છે એટ્લે તે પરિવારને ભામાશા તરીકે આ વિસ્તારમાં લોકો જાણે છે ત્યારે આગામી સમયમાં આઈ સપોર્ટ જયસુખભાઈ પટેલમુમેંટ વધુ રંગ લાવે તો નવાઈ નથી

વધુમાં સોશ્યલ મીડિયામાં જે મેસેજ ફરી રહ્યા છે તેમાં એવી પણ લખવામાં આવ્યું છે કે, પુલ માટેની પ્રથમ જવાબદારી પાલિકાની હતી છતાં આ ઘટના બાદની પોલીસ દ્વારા પાલિકા સામે કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી ? પાલિકાના ચીફ ઓફિસર સહિતનાઓની સામે કયારે કાર્યવાહી કરવામાં આવશે ? આ ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા છે તો પણ પુલ જેનો છે તેની સામે કોઈ કાર્યવાહી કેમ નહીં ? વિગેરે અને મેસેજ હાલમાં સોશ્યલ મીડિયામાં ફરી રહ્યા છે




Latest News