મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના જુદીજુદી જ્ઞાતિ-સમાજના લોકો આવ્યા જયસુખભાઇ પટેલના સમર્થનમાં: સોશ્યલ મીડિયામાં ધડોધડ પોસ્ટ વાઇરલ


SHARE











મોરબીના જુદીજુદી જ્ઞાતિ-સમાજના લોકો આવ્યા જયસુખભાઇ પટેલના સમર્થનમાં: સોશ્યલ મીડિયામાં ધડોધડ પોસ્ટ વાઇરલ

મોરબીની ઝુલતાં પુલની ઘટનામાં જયસુખભાઇ પટેલની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં તે રિમાન્ડ ઉપર છે ત્યારે મોરબીમાં ભાલોડીયા પરિવારને ભામાશા તરીકે લોકો જાણે છે તે પરિવારના જયસુખભાઇ પટેલના સમર્થનમાં જુદાજુદા જ્ઞાતિ અને સમાજના આગેવાનો આવ્યા છે અને હાલમાં સોશ્યલ મીડિયામાં પોસ્ટ ધડોધડ વાઇરલ કરવામાં આવેલ છે

મોરબીના ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં પહેલા નવ આરોપીને પકડવામાં આવ્યા હતા અને છેલ્લે ઓરેવા ગ્રૂપના જયસુખભાઈ પટેલની ધડપકડ કરીને તેને હાલમાં રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે ત્યારે હજુ સુધી પાલિકાના અધિકારી, પદાધિકારીએ કે સભ્યોની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તે હક્કીત છે જેથી કરીને હવે સોશ્યલ મીડિયા ઉપર જયસૂખભાઈ પટેલનું ખુલ્લુ સમર્થન કરવામાં આવી રહ્યું છે અને હાલમાં આઈ સપોર્ટ જયસુખભાઈ પટેલનામથી મુમેંટ શરૂ કરવામાં આવી છે

અત્યાર સુધી આવી કોઈ પોસ્ટ આવી ન હતી જો કે, ગુરુવારે સવારથી સોશિયલ મીડિયા પર પોસ્ટનો મારો શરૂ કરવામાં આવ્યો છે અને હાલમાં ફેસબુક તેમજ વ્હોટ્સ એપ ઉપર લોકો જયસુખભાઈ પટેલના સમર્થનની પોસ્ટ મૂકી રહ્યા છે અને તેના પિતા એસડબલ્યુ. ઓધવજીભાઈ પટેલ અને તેનો પરિવાર સામાજિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યો છે અને લોકોની મદદ કરી છે એટ્લે તે પરિવારને ભામાશા તરીકે આ વિસ્તારમાં લોકો જાણે છે ત્યારે આગામી સમયમાં આઈ સપોર્ટ જયસુખભાઈ પટેલમુમેંટ વધુ રંગ લાવે તો નવાઈ નથી

વધુમાં સોશ્યલ મીડિયામાં જે મેસેજ ફરી રહ્યા છે તેમાં એવી પણ લખવામાં આવ્યું છે કે, પુલ માટેની પ્રથમ જવાબદારી પાલિકાની હતી છતાં આ ઘટના બાદની પોલીસ દ્વારા પાલિકા સામે કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી ? પાલિકાના ચીફ ઓફિસર સહિતનાઓની સામે કયારે કાર્યવાહી કરવામાં આવશે ? આ ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા છે તો પણ પુલ જેનો છે તેની સામે કોઈ કાર્યવાહી કેમ નહીં ? વિગેરે અને મેસેજ હાલમાં સોશ્યલ મીડિયામાં ફરી રહ્યા છે






Latest News