મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાને ધંધા માટે ૧૭.૫૦ લાખ વ્યાજે લઈને ૩૨.૪૦ લાખ ચુકવ્યા તો પણ પઠાણી ઉઘરાણી ચાલુ !


SHARE













વાંકાનેરમાં યુવાને ધંધા માટે ૧૭.૫૦ લાખ વ્યાજે લઈને ૩૨.૪૦ લાખ ચુકવ્યા તો પણ પઠાણી ઉઘરાણી ચાલુ !

વાંકાનેર ના હસનપર ખાતે રહેતા યુવાને ધંધા માટે થઈને જુદા જુદા બે વ્યક્તિઓ પાસેથી વ્યાજે ૧૭.૫૦ લાખ રૂપિયા લીધા હતા જેની સામે તેણે ૩૨.૪૦ લાખ ચૂકવી દીધા છે તેમ છતાં પણ હજુ પણ તેની પાસેથી બળજબરીથી વધુ રકમ કઢાવવા માટે થઈને પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને યુવાને કોરા ચેક આપેલ છે તે બાબતે કેસ કરવાની ધમકીઓ આપવામાં આવી રહી છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના હસનપર ખાતે રહેતા ઉત્તમભાઈ અવચરભાઈ પીપળીયા જાતે કોળી (૩૪) એ ભરતભાઇ ચોંડાભાઇ પરસોંડા રહે. જલારામ જીન પાસે ભાટિયા સોસાયટી વાંકાનેર અને સુરેશભાઈ ભલાભાઇ ડાભી રહે. ધમલપર તાલુકો વાંકાનેર વાળાની સામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદીએ પોતાના ધંધા માટે થઈને ઉંચા વ્યાજે જુદાજુદા સમયે બંને શખ્સ પાસેથી રૂપિયા લીધા હતા જેમાં ભરતભાઈ પરસોંડા પાસેથી પાંચ લાખ રૂપિયા તથા સુરેશભાઈ ડાભી પાસેથી ૧૨.૫૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે ભરતભાઈને ૩.૬૦ લાખ અને સુરેશભાઈને ૨૮.૮૦ લાખ રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં પણ તેની પાસેથી બળજબરીથી વધુ રકમ પડાવવા માટે થઈને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને ભરતભાઈએ તેની પાસેથી કોરા ચેક લીધા હતા તે બાબતે કેસ કરવાની ધમકીઓ આપી રહ્યા છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઇ.પી.સી. કલમ ૩૮૪૫૦૬ તથા ગુજરાત નાણા ધીરધાર કરનારાઓ બાબતે અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫૪૦૪૨(એ)૪૨(ડી) મુજબ વ્યાજખોરોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News