મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ૧૭.૫૦ લાખની સામે ૩૨.૪૦ લાખ વસૂલ્યા તો પણ પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોરની ધરપકડ


SHARE













વાંકાનેરમાં ૧૭.૫૦ લાખની સામે ૩૨.૪૦ લાખ વસૂલ્યા તો પણ પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોરની ધરપકડ

વાંકાનેરના હસનપર ખાતે રહેતા યુવાને ધંધા માટે થઈને જુદા જુદા બે વ્યક્તિઓ પાસેથી વ્યાજે ૧૭.૫૦ લાખ રૂપિયા લીધા હતા જેની સામે તેણે ૩૨.૪૦ લાખ ચૂકવી દીધા હતા તેમ છતાં પણ હજુ પણ તેની પાસેથી બળજબરીથી વધુ રકમ કઢાવવા માટે થઈને પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી અને યુવાને કોરા ચેક આપેલ હતા તે બાબતે કેસ કરવાની ધમકીઓ આપવામાં આવી રહી હતી જેથી યુવાન દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બે શખ્સોની ધરપકડ કરેલ છે અને આગળની તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના હસનપર ખાતે રહેતા ઉત્તમભાઈ અવચરભાઈ પીપળીયા જાતે કોળી (૩૪) એ ભરતભાઇ ચોંડાભાઇ પરસોંડા રહે. જલારામ જીન પાસે ભાટિયા સોસાયટી વાંકાનેર અને સુરેશભાઈ ભલાભાઇ ડાભી રહે. ધમલપર તાલુકો વાંકાનેર વાળાની સામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યું હતું કે ફરિયાદીએ પોતાના ધંધા માટે થઈને ઉંચા વ્યાજે જુદાજુદા સમયે બંને શખ્સ પાસેથી રૂપિયા લીધા હતા જેમાં ભરતભાઈ પરસોંડા પાસેથી પાંચ લાખ રૂપિયા તથા સુરેશભાઈ ડાભી પાસેથી ૧૨.૫૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે ભરતભાઈને ૩.૬૦ લાખ અને સુરેશભાઈને ૨૮.૮૦ લાખ રૂપિયા ચૂકવી દીધા હતા તેમ છતાં પણ તેની પાસેથી બળજબરીથી વધુ રકમ પડાવવા માટે થઈને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી અને ભરતભાઈએ તેની પાસેથી કોરા ચેક લીધા હતા તે બાબતે કેસ કરવાની ધમકીઓ આપી રહ્યા હતા જેથી યુવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વ્યાજખોરોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે ભરતભાઇ ચોંડાભાઇ પરસોંડા રહે. જલારામ જીન પાસે ભાટિયા સોસાયટી વાંકાનેર અને સુરેશભાઈ ભલાભાઇ ડાભી રહે. ધમલપર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે






Latest News