મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા પાસે કાર લોખંડની ગ્રીલ સાથે અથડાઇ પલટી મારી જતાં યુવાનનું મોત


SHARE











મોરબીના જાંબુડીયા પાસે કાર લોખંડની ગ્રીલ સાથે અથડાઇ પલટી મારી જતાં યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે નવી આરટીઓ કચેરી સામેથી કાર ચાલક પોતાની કાર લઈને પસાર થતો હતો ત્યારે અચાનક કાવું મારવા જતા સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો અને રોડની ડાબી બાજુમાં લોખંડની ગ્રીલ સાથે તેની કાર અથડાઈ હતી ત્યાર બાદ લોખંડની ગ્રીલ તોડી કાર પલટી મારી સર્વિસ રોડ ઉપર પડી હતી ત્યારે કારમાં બેઠેલ યુવાનને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે મૃતક યુવાનની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વાકિયા ગામે રહેતા અજીતભાઈ બીજલભાઇ સોલંકી (૩૬) હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નં. જીજે ૩ એચકે ૪૭૨૫ ના ચાલક ગિરીશભાઈ લાલજીભાઈ પરમાર રહે. મકનસર વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, કાર ચાલક પોતાના હવાલા વાળી સ્વિફ્ટ કાર લઈને વાંકાનેર મોરબી હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે અચાનક કાવું મારતા પોતાની કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો અને કાર રોડની ડાબી બાજુએ આવેલ લોખંડની ગ્રીલ સાથે અથડાઈ હતી ત્યાર બાદ લોખંડની ગ્રીલ તોડીને કાર પલટી ખાઈને સર્વિસ રોડ ઉપર પડી હતી જેથી ઈજા પામેલ કાર ચાલક ગીરીશભાઈ લાલજીભાઈ પરમારને માથામાં ગંભીર થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને હાલમાં આ બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના રાજપરથી ચાચાપર તરફ જવાના રસ્તા ઉપર સદગુરુ કોટન મીલ સામેના ભાગમાંથી સનાળા ગામે બાયપાસ પાસે આવેલ આનંદનગરમાં રહેતા નિલેશભાઈ અમરશીભાઈ કોરીંગા જાતે પટેલ (૩૬) પોતાનું બાઈક નં. જીજે ૩ કયું ૦૮૨૬ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર નંબર જીજે ૩૬ બી ૨૫૯૬ ના ચાલકે તેના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક ચાલકને બંને પગમાં ઈજા થઈ હોવાથી હાલમાં તેણે કાર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News