ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ૬ બેઠકો બિનહરીફ, ૬ માટે ૨૨ મીએ મતદાન


SHARE













વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ૬ બેઠકો બિનહરીફ, ૬ માટે ૨૨ મીએ મતદાન

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ. ની ચૂંટણી માટે ગુરૂવારે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લો દિવસ હતો ત્યારે તમામ બેઠકો ઉપર ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં સંઘની કુલ ૧૨ બેઠકોમાંથી ૬ બેઠકો બિનહરીફ થઈ ગયેલ છે અને છ બેઠકો ઉપર બે-બે ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા છે જેથી કરીને આ ૬ બેઠક માટે આગામી ૨૨ મી ફેબ્રુઆરીએ મતદાન તથા મતગણતરી કરવામાં આવશે

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં જે ૬ બેઠક બિનહરીફ થયેલ છે તે બેઠકોમાં વાંકીયામાં ઘોઘુભા જામભા ઝાલા, ઢુવામાં વલીમામદ અલાવદી શેરસીયા, ચંદ્રપુરમાં પરાસરા અમીયલ હાજી, કેરાળામાં માથકીયા માહમદ આહમદ, કોઠારીયામાં ઝાલા નરેન્દ્રસિંહ મંગળસિંહ અને ગારીડામાં બાદી અલીભાઇ મામદનુરાનો સમાવેશ થાય છે અને જે બેઠકમાં ચુંટણી થવાની છે તેમાં માટેલ બેઠક ઉપર કાંકરેચા કાળુભાઇ મેરૂભાઇ અને કોબીયા દેવાભાઇ છગનભાઇ, લુણસર બેઠક ઉપર જયેશ છગનભાઇ વસીયાણી અને ઝાલા રાજેન્દ્રસિંહ મંગળસિંહ, સિંધાવદર બેઠક ઉપર બાદી રહીમ જીવા અને ઇસ્માઇલ મામદ પરાસરા, વાલાસણ બેઠક ઉપર મહેબુબભાઇ આહમદભાઇ પટેલ (કડીવાર) અને ઇસ્માઇલ ફતેમામદ કડીવાર, જાલસીકા બેઠક ઉપર કૃષ્ણસિંહ ચંપકસિંહ ઝાલા અને પરાસરા નુરમામદ અમીભાઇ તેમજ મેસરીયા બેઠક ઉપર પોલાભાઈ હિરાભાઇ પરમાર અને નવઘણભાઇ દેવશીભાઇ મેઘાણી આમને સામને છે તેના માટે ૨૨ મીએ ચૂંટણીનું મતદાન કરવામાં આવશે






Latest News