વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ૬ બેઠકો બિનહરીફ, ૬ માટે ૨૨ મીએ મતદાન
SHARE
વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ૬ બેઠકો બિનહરીફ, ૬ માટે ૨૨ મીએ મતદાન
વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ. ની ચૂંટણી માટે ગુરૂવારે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લો દિવસ હતો ત્યારે તમામ બેઠકો ઉપર ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં સંઘની કુલ ૧૨ બેઠકોમાંથી ૬ બેઠકો બિનહરીફ થઈ ગયેલ છે અને છ બેઠકો ઉપર બે-બે ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા છે જેથી કરીને આ ૬ બેઠક માટે આગામી ૨૨ મી ફેબ્રુઆરીએ મતદાન તથા મતગણતરી કરવામાં આવશે
વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં જે ૬ બેઠક બિનહરીફ થયેલ છે તે બેઠકોમાં વાંકીયામાં ઘોઘુભા જામભા ઝાલા, ઢુવામાં વલીમામદ અલાવદી શેરસીયા, ચંદ્રપુરમાં પરાસરા અમીયલ હાજી, કેરાળામાં માથકીયા માહમદ આહમદ, કોઠારીયામાં ઝાલા નરેન્દ્રસિંહ મંગળસિંહ અને ગારીડામાં બાદી અલીભાઇ મામદનુરાનો સમાવેશ થાય છે અને જે બેઠકમાં ચુંટણી થવાની છે તેમાં માટેલ બેઠક ઉપર કાંકરેચા કાળુભાઇ મેરૂભાઇ અને કોબીયા દેવાભાઇ છગનભાઇ, લુણસર બેઠક ઉપર જયેશ છગનભાઇ વસીયાણી અને ઝાલા રાજેન્દ્રસિંહ મંગળસિંહ, સિંધાવદર બેઠક ઉપર બાદી રહીમ જીવા અને ઇસ્માઇલ મામદ પરાસરા, વાલાસણ બેઠક ઉપર મહેબુબભાઇ આહમદભાઇ પટેલ (કડીવાર) અને ઇસ્માઇલ ફતેમામદ કડીવાર, જાલસીકા બેઠક ઉપર કૃષ્ણસિંહ ચંપકસિંહ ઝાલા અને પરાસરા નુરમામદ અમીભાઇ તેમજ મેસરીયા બેઠક ઉપર પોલાભાઈ હિરાભાઇ પરમાર અને નવઘણભાઇ દેવશીભાઇ મેઘાણી આમને સામને છે તેના માટે ૨૨ મીએ ચૂંટણીનું મતદાન કરવામાં આવશે