મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા કારખાનેદારના પુત્રએ કોઈ કારણસર અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE







મોરબીમાં રહેતા કારખાનેદારના પુત્રએ કોઈ કારણસર અંતિમ પગલું ભરી લેતા મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર વિસ્તારમાં રહેતા અને લાતીપ્લોટ વિસ્તારમાં ફોટો ફ્રેમનું કારખાનું ધરાવતા કારખાનેદારના બે પૈકીના મોટા પુત્રએ તેમના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજત્તા હાલ બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

વધુમાં પોલીસ સુત્રોની પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર કુબેરનગર શેરી નંબર-૧ માં રહેતા અને મોરબીના લાતી પ્લોટમાં ફોટો ફ્રેમનું કારખાનું ધરાવતા મેહુલભાઈ ચૌહાણના ૧૬ વર્ષીય પુત્ર મનદિપએ તેના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને મનદિપ મેહુલભાઇ ચૌહાણ નામના ૧૬ વર્ષના સગીરનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે અત્રેની સિવિલે લાવવામાં આવતા હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલી હોય એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા આ અંગે નોંધ કરવામાં આવી છે અને કયા કારણોસર મનદિપ ચૌહાણ નામના સગીરે અંતિમ પગલું ભર્યું તે દિશામાં હાલમાં પોલીસે તપાસનો દોર આગળ લંબાવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.વધુમાં મળતી માહિતી મુજબ મૃતક મનદિપ અભ્યાસ કરતો હતો અને બે ભાઈ પૈકી મોટો ભાઈ હતો હાલ મનદિપએ ભરી લીધેલા અજુગતા પગલાના પરિણામે ચૌહાણ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામની પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં ઈજા થવાથી ભીખાભાઈ જગુભાઈ ચાડમીયા (૩૨) રહે.રાતડીયા તાલુકો વાંકાનેર અને વશરામભાઈ જગસીભાઈ ચાડમીયા (૩૨) રહે.લીંબાદર વાળાઓને ઇજાઓ પહોંચતા બંનેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા હાલમાં પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના નાની બજાર વિસ્તારમાં રહેતા વિજયભાઈ મગનભાઈ અગેચાણીયા નામના ૩૦ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં તેને સારવારમાં ખસેડાયો હતો તે જ્યારે લીલાપર રોડ ઉપરથી વાહનમાં જતો હતો ત્યાં બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં તેને ઇજા પહોંચેલી હોય તેને સારવાર માટે ખસેડાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના માધાપરા વિસ્તારમાં શેરી નંબર-૧૯ માં રહેતા કાંતિભાઈ દેવરાજભાઈ ડાભી નામના ૪૯ વર્ષીય આધેડને પોતાના ઘર પાસે મારામારીના બનાવમાં ઈજા પહોંચેલી હોય તેઓને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા બનાવને પગલે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા જાણ કરાતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News