લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યામંદિર ખાતે ઉજવાયો માતૃ-પિતૃ પૂજન દિવસ


SHARE





મોરબીની સાર્થક વિદ્યામંદિર ખાતે ઉજવાયો માતૃ-પિતૃ પૂજન દિવસ

મોરબીના સામાકાંઠે કેસર બાગ પાસે આવેલ જાણીતી સાર્થક વિદ્યામંદિર ખાતે ૧૪ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે નહીં પરંતુ માતૃ-પિતૃ પૂજન દિવસ અને તે નિમિત્તે માતૃ-પિતૃ પૂજન દિવસ ઉજવાયો હતો.આજે જ્યારે સર્વત્ર પશ્ચિમી રંગથી લોકો રંગાઈ રહ્યા છે ત્યારે પોતાની ભારતીય સંસ્કૃતિને સૌ ઓળખે, જાણે અને અપનાવે તેમજ આવનારી પેઢી સમાન બાળકોમાં પણ તે સંસ્કારો ઉતરે તેવા ઉંમદા હેતુથી પશ્ચિમી અનુકરણ કરવાને બદલે દેશને સાચી સંસ્કૃતિ સમાન માતા-પિતાનું બાળકો પૂજન કરે તે હેતુથી ૧૪ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે ને માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે અનોખી ઉજવણી કરવાનો શિશુ મંદિર તેમજ સાર્થક વિદ્યામંદિરે ચિલો ચાતર્યો હોય અને તે મુજબ હવે અનેક શાળાઓ પણ આ પ્રકારે ઉજવણી કરતી થઈ છે ત્યારે સાર્થક વિદ્યા મંદિર ખાતે પણ માતૃ-પિતૃ પૂજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા તે ઉપરાંત જે વાલીઓ પોતે શાળાએ ન આવી શક્યા હોય તેવા વાલીઓ પોતાના બાળકોના દ્વારા પૂજન કરાવીને તેના ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરીને પણ શાળાને ટેગ કરી શકે તેવા પ્રકારની અપીલ કરાવીને આ મુહીમને આગળ વધારવામાં આવે તેવી અપીલ કરી હતી.શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લ તથા સ્ટાફ દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News