મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યામંદિર ખાતે ઉજવાયો માતૃ-પિતૃ પૂજન દિવસ


SHARE















મોરબીની સાર્થક વિદ્યામંદિર ખાતે ઉજવાયો માતૃ-પિતૃ પૂજન દિવસ

મોરબીના સામાકાંઠે કેસર બાગ પાસે આવેલ જાણીતી સાર્થક વિદ્યામંદિર ખાતે ૧૪ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે નહીં પરંતુ માતૃ-પિતૃ પૂજન દિવસ અને તે નિમિત્તે માતૃ-પિતૃ પૂજન દિવસ ઉજવાયો હતો.આજે જ્યારે સર્વત્ર પશ્ચિમી રંગથી લોકો રંગાઈ રહ્યા છે ત્યારે પોતાની ભારતીય સંસ્કૃતિને સૌ ઓળખે, જાણે અને અપનાવે તેમજ આવનારી પેઢી સમાન બાળકોમાં પણ તે સંસ્કારો ઉતરે તેવા ઉંમદા હેતુથી પશ્ચિમી અનુકરણ કરવાને બદલે દેશને સાચી સંસ્કૃતિ સમાન માતા-પિતાનું બાળકો પૂજન કરે તે હેતુથી ૧૪ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે ને માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે અનોખી ઉજવણી કરવાનો શિશુ મંદિર તેમજ સાર્થક વિદ્યામંદિરે ચિલો ચાતર્યો હોય અને તે મુજબ હવે અનેક શાળાઓ પણ આ પ્રકારે ઉજવણી કરતી થઈ છે ત્યારે સાર્થક વિદ્યા મંદિર ખાતે પણ માતૃ-પિતૃ પૂજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા તે ઉપરાંત જે વાલીઓ પોતે શાળાએ ન આવી શક્યા હોય તેવા વાલીઓ પોતાના બાળકોના દ્વારા પૂજન કરાવીને તેના ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરીને પણ શાળાને ટેગ કરી શકે તેવા પ્રકારની અપીલ કરાવીને આ મુહીમને આગળ વધારવામાં આવે તેવી અપીલ કરી હતી.શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લ તથા સ્ટાફ દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News