મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના રાજપર રોડે ઝેરી દવા પીને ઘડિયાળના કારખાનાની ઓરડીમાં આવેલ યુવાન સારવારમાં


SHARE















મોરબીના રાજપર રોડે ઝેરી દવા પીને ઘડિયાળના કારખાનાની ઓરડીમાં આવેલ યુવાન સારવારમાં

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ઘડિયાળના કારખાનાની ઓરડીમાં યુવાન કોઈ કારણોસર બહારથી ઝેરી દવા પીને આવ્યો હતો જેથી તેને પ્રાથમિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તે યુવાને રાજકોટ લઈ જવામાં આવેલ છે આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ફોરમ ટાઈમ્સ નામના ઘડિયાળના કારખાનાની ઓરડીમાં રવિ બાદલભાઈ કાનાણી (૨૫) નામનો યુવાન કોઈ કારણોસર બહારથી ઝેરી દવા પીને ઓરડીમાં આવ્યો હતો જેથી કરીને કાનો પ્રહલાદભાઈ કાનાણી તેને તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે બેભાન હાલતમાં લઈને આવ્યો હતો અને ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટ લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

વૃદ્ધ સારવારમાં

વાંકાનેરમાંથી કોઈ અજાણ્યા ૬૦ વર્ષના વૃદ્ધને બીમારી સબબ સારવાર માટે પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ સંદર્ભે તપાસ કરતા વિપુલભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અજાણ્યા વૃદ્ધના વાલી વારસને શોધવા માટેની કાર્યવાહી ચાલી રહી છે અને તેઓ ભિક્ષુકવૃત્તિ કરતા હોય તેવું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે






Latest News