મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક સીરામીક કારખાનામાં મેળા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE













વાંકાનેર નજીક સીરામીક કારખાનામાં મેળા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલા યુવાનનું મોત

વાંકાનેર નજીક વઘાસીયા જીઆઇડીસીમાં આવેલ એક્યુટોપ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન મેળા ઉપરથી નીચે પટકાતા યુવાનને માથામાં ગંભીર ઇજા થઇ હતી જેથી તે યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાનના પિતા દ્વારા અકસ્માત મૃત્યુના આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પલાસડી ગામે રહેતો ગેલાભાઈ શામજીભાઈ ઉઘરેજા જાતે કોળી (૨૫) નામનો યુવાન વાંકાનેર નજીક આવેલ વઘાસીયા જીઆઇડીસીમાં એકયુટોપ સીરામીક કારખાનામાં પેકિંગ વિભાગમાં મેળા ઉપર ચડીને કામ કરતો હતો ત્યારે કામગીરી દરમિયાન પગ લપસતા તે મેળા ઉપરથી નીચે પટકાયો હતો જેથી કરીને તેને માથાના ભાગે ગંભીર ઇજા થયો હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવની મૃતક ગેલાભાઈ ઉઘરેજાના પિતા શામજીભાઈ કરસનભાઈ ઉઘરેજા જાતે કોળી (૪૭) રહે. પલાસડી ગામ વાળાએ વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના પીપળી રોડ ઉપર પાવર હાઉસ પાસેથી આશિષ રામસિંગ ચૌહાણ (૩૦) રહે. એસ્ટ્રોન સીરામીક સરતાનપર રોડ મોરબી વાળો બાઈક લઈને જતો હતો ત્યારે તેના બાઈક સાથે કોઈ જનાવર અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તે યુવાનને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઈજા

મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા ચંદુભાઈ જીવરાજભાઈ અદગામા (૫૦) ને તેઓના ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તમાં ચંદુભાઈ અદગામને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News