ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ગુજરાતમાં નવા મંત્રીઓ-ચેરમેન તથા ડીરેકટરોની નિમણુક થાય તો લોકોના કામો ઝડપથી થાય : પી.પી.જોષી


SHARE













ગુજરાતમાં નવા મંત્રીઓ-ચેરમેન તથા ડીરેકટરોની નિમણુક થાય તો લોકોના કામો ઝડપથી થાય : પી.પી.જોષી

મોરબીના જાગૃત નાગરિક અને અહીંના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર પી.પી.જોશી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના પ્રદેશ ભાજપ પ્રમુખને પત્ર લખીને માંગ કરવામાં આવેલ છે કે જો ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે અને નવા મંત્રીઓની તેમજ તે ઉપરાંત ચેરમેનો અને ડિરેક્ટરોની નિમણૂંક કરવામાં આવે તો લોકોના કામ ખૂબ ઝડપથી થઈ શકે તેમ છે અને પ્રજાને પડતી હાડમારી નિવારી શકાય તેમ છે માટે નવા મંત્રીઓ તેમજ ચેરમેનો અને ડિરેક્ટરોની નિમણૂંક કરવી જોઈએ.

તેઓએ કરેલ રજૂઆતમાં તેઓએ જણાવેલ છે કે હાલમાં ગુજરાતમાં મંત્રી મંડળનુ કદ ધણુ જ નાનુ છે આજે એક મંત્રી પાસે ત્રણથી ચાર ખાતાઓ આપવામાં આવેલ છે જેથી અરજદારોના કામો સમયસર થતા નથી અને લોકોને ગાંધીનગરના ધક્કા થાય છે.જો નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવે તો પ્રજાના પ્રશ્નોનો તુરંત નિકાલ થઈ શકે તેમ છે આજે જે મંત્રીઓ છે જેમને ખાતા આપવામાં આવેલ છે તેઓ રાત્રીના આઠ વાગ્યા સુધી કામ કરે છે અને તે પણ થાકી જાય છે છતા કામ ચાલુ રાખે જ છે.પરંતુ જો રાજય કક્ષાના મંત્રીઓની નિમણુંકો કરવામાં આવે તો હાલના મંત્રીઓનું કાર્યભારણ ઘટે અને પ્રજાના કામ સમયસર થાય તેવું મારૂ માનવુ છે તેમ પી.પી.જોષીએ જણાવેલ છે.તે ઉપરાંત જો ચેરમેન તથા ડીરેકટરોની પણ છેલ્લા પાંચ વર્ષથી અનેક જગ્યાઓ ખાલી પડેલ છે જો તે નિમણુંકો પણ કરવામાં આવે તો પણ આ પશ્ન હલ થાય તેમ છે.જો આ નિમણુંક કરવામાં આવે તો પણ મંત્રીઓનું કાર્યભારણ ધટે તેમ છે.આજે ગુજરાતની પ્રજાએ ભાજપને ધણી જ જંગી બહુમતી આપેલ છે છતાં પ્રજા હેરાન થાય છે તો નવા મંત્રી તથા ચેરમેન અને ડીરેકટરોની નિમણુક કરવામાં આવે તેવી માંગણી અહીંના પી.પી.જોષીએ કરેલ છે.






Latest News