મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત વાંકાનેરના સરતનપર રોડે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવતીનું મોત
Breaking news
Morbi Today

ગુજરાતમાં નવા મંત્રીઓ-ચેરમેન તથા ડીરેકટરોની નિમણુક થાય તો લોકોના કામો ઝડપથી થાય : પી.પી.જોષી


SHARE











ગુજરાતમાં નવા મંત્રીઓ-ચેરમેન તથા ડીરેકટરોની નિમણુક થાય તો લોકોના કામો ઝડપથી થાય : પી.પી.જોષી

મોરબીના જાગૃત નાગરિક અને અહીંના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર પી.પી.જોશી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના પ્રદેશ ભાજપ પ્રમુખને પત્ર લખીને માંગ કરવામાં આવેલ છે કે જો ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે અને નવા મંત્રીઓની તેમજ તે ઉપરાંત ચેરમેનો અને ડિરેક્ટરોની નિમણૂંક કરવામાં આવે તો લોકોના કામ ખૂબ ઝડપથી થઈ શકે તેમ છે અને પ્રજાને પડતી હાડમારી નિવારી શકાય તેમ છે માટે નવા મંત્રીઓ તેમજ ચેરમેનો અને ડિરેક્ટરોની નિમણૂંક કરવી જોઈએ.

તેઓએ કરેલ રજૂઆતમાં તેઓએ જણાવેલ છે કે હાલમાં ગુજરાતમાં મંત્રી મંડળનુ કદ ધણુ જ નાનુ છે આજે એક મંત્રી પાસે ત્રણથી ચાર ખાતાઓ આપવામાં આવેલ છે જેથી અરજદારોના કામો સમયસર થતા નથી અને લોકોને ગાંધીનગરના ધક્કા થાય છે.જો નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવે તો પ્રજાના પ્રશ્નોનો તુરંત નિકાલ થઈ શકે તેમ છે આજે જે મંત્રીઓ છે જેમને ખાતા આપવામાં આવેલ છે તેઓ રાત્રીના આઠ વાગ્યા સુધી કામ કરે છે અને તે પણ થાકી જાય છે છતા કામ ચાલુ રાખે જ છે.પરંતુ જો રાજય કક્ષાના મંત્રીઓની નિમણુંકો કરવામાં આવે તો હાલના મંત્રીઓનું કાર્યભારણ ઘટે અને પ્રજાના કામ સમયસર થાય તેવું મારૂ માનવુ છે તેમ પી.પી.જોષીએ જણાવેલ છે.તે ઉપરાંત જો ચેરમેન તથા ડીરેકટરોની પણ છેલ્લા પાંચ વર્ષથી અનેક જગ્યાઓ ખાલી પડેલ છે જો તે નિમણુંકો પણ કરવામાં આવે તો પણ આ પશ્ન હલ થાય તેમ છે.જો આ નિમણુંક કરવામાં આવે તો પણ મંત્રીઓનું કાર્યભારણ ધટે તેમ છે.આજે ગુજરાતની પ્રજાએ ભાજપને ધણી જ જંગી બહુમતી આપેલ છે છતાં પ્રજા હેરાન થાય છે તો નવા મંત્રી તથા ચેરમેન અને ડીરેકટરોની નિમણુક કરવામાં આવે તેવી માંગણી અહીંના પી.પી.જોષીએ કરેલ છે.






Latest News