ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો દૂર કરવા માટે પાલિકા સાથે કરીશું સંકલન: આઇજી  


SHARE













મોરબીમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો દૂર કરવા માટે પાલિકા સાથે કરીશું સંકલન: આઇજી  

મોરબી જિલ્લામાં પોલીસના વાર્ષિક ઇન્સપેકશન બાદ આઇજીની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં મોરબી જીલ્લામાં પોલીસની કામગીરી ખૂબ જ સારી હોવાની આઇજીએ જણાવ્યુ હતું તેમાં મોરબીની વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે આગામી દિવસોમાં પાલિકાની સાથે સંકલન કરીને આ પ્રશ્ને ઉકેલવા માટેનું કામ કરવામાં આવશે તેવુ આઇજી અશોકકુમાર યાદવે જણાવ્યુ હતુ

મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ એસપી ઓફિસ ખાતે રેન્જ આઈજી અશોકકુમાર યાદવની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મોરબી સિરામિક એસો., મોરબી પેપર મિલ એસો., મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. સહિતના સંગઠનના આગેવાનો સાથે બેઠકો કરવામાં આવી હતી અને તેની સમસ્યાને જાણીને ઉકેલવા માટેની કામગીરી કરવાની ખાતરી આપવામાં આવેલ છે આ ઉપરાંત આઈજીએ જણાવ્યું હતું કે રાજ્યમાં વ્યાજના દૂષણને ડામવા માટે અસરકારક કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જીલ્લામાં પણ ગુના નોંધીને પોલીસે ૪૪ જેટલા આરોપીને પકડેલ છે અને આગામી દિવસોમાં વ્યાજખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે આટલું જ નહીં ઇન્કમ ટેક્ષ સહિતના વિભાગને પણ આ અંગેની જાણ કરવામાં આવશે

વધુમાં મોરબીની ટ્રાફિક સમસ્યા માટે અસરકારક કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે અને બીજી બાજુ રસ્તા અને જુદાજુદા ચોકમાં લારી, ગલ્લા પથરાણા ટ્રાફિક પોલીસની હાજરી હોય છે ત્યાં જોવા મળે છે તે કેમ સીસીટીવી કેમેરામાં દેખાતા નથી ? અને વાહન ચાલકોને ઘરે મેમાં આવી જાય છે જેથી રસ્તા ઉપર લોકો વાહન પાર્ક કરી શકે તેના માટે તમામ દબાણોને દૂર કરવામાં નક્કર કામગીરી કરવામાં આવે તે અનિવાર્ય છે તેવું પત્રકારે કહેતા રેન્જ આઈજીએ કહ્યું હતું કે, ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે પાલિકા સાથે સંકલન કરીને પોલીસ વિભાગ દ્વારા પાર્કિંગ માટેની અને ટ્રાફિકની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે જો કે, આવું વર્ષોથી પોલીસ અધિકારીઓ કહે છે પરંતુ નક્કર કામ કરવામાં નથી આવતું તે નારી વાસ્તવિક્તા છે






Latest News