મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી સિરામીક ઉદ્યોગમાં વીજ વપરાશની પડતર નીચી લાવવા સાંસદે પવનચક્કી પ્રોજેકટ આડેથી ગ્રહણ હટાવ્યું


SHARE













મોરબી સિરામીક ઉદ્યોગમાં વીજ વપરાશની પડતર નીચી લાવવા સાંસદે પવનચક્કી પ્રોજેકટ આડેથી ગ્રહણ હટાવ્યું

મોરબી સિરામીક ઉદ્યોગકારો દ્વારા અહીની પ્રોડક્ટની ઉત્પાદન કિંમત નીચી લાવવા માટે પ્રયાસો કરવામાં આવે છે જેના ભાગરૂપે આગામી દિવસોમાં અમરેલી જિલ્લામાં પવનચક્કી અને સોલાર પ્રોજેક્ટ સાકાર કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે જો કે, વન વિભાગની એનઓસીને કારણે આ પ્રોજેક્ટમાં વિઘ્ન આવે તેવું હતું જેથી કરીને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાએ રજુઆત કરી હતી જેથી કરીને પ્રશ્ન ઉકેલાઈ ગયેલ છે તેવું મોરબી સિરામીક એસો.ના પ્રમુખે જણાવ્યુ છે

મોરબી સીરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબીના સિરામિક ઉદ્યોગમાં હાલમાં વીજ વપરાશ મોટા પ્રમાણમા થાય છે ત્યારે આ ઉદ્યોગ ચાઈના સાથે સીધો જ હરીફાઈમાં છે જેથી કરીને અહીની પ્રોડક્ટને સસ્તી બનાવવા માટે આગામી દિવસોમાં વિંડમીલ અને સોલાર પ્રોજેક્ટ સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાતનાં અમરેલી જીલ્લામા બન્ને પ્રોજેક્ટ સ્થાપવા માટે તૈયારીઓ ચાલુ છે ત્યારે વન વિભાગની એનઓસીનો પ્રશ્ન હતો જેના માટે મોરબીમાં રહેતા રાજકોટના સાસંદ મોહનભાઈ કુંડારીયાને રજુઆત કરી હતી જેથી કરીને વન વિભાગને ટેલિફોનિક સુચના આપતા તુરંત જ વન વિભાગે એનઓસી ઈશ્યુ કરી દીધી છે જેથી કરીને સીરામીક એસો. દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારીયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને પવનચક્કી પ્રોજેક્ટને સકારા કરીને સિરામિક ઉદ્યોગ માટે સસ્તો વીજ વિકલ્પ મળે તેવું કામ કરવામાં આવી રહ્યું છે તેવી લાગણી વ્યક્ત કરી હતી






Latest News