મોરબી સિરામીક ઉદ્યોગમાં વીજ વપરાશની પડતર નીચી લાવવા સાંસદે પવનચક્કી પ્રોજેકટ આડેથી ગ્રહણ હટાવ્યું
રાજ્યમાં બ્રિજ કે મોટા સ્ટ્રક્ચરના ઇન્સ્પેક્શન માટે કોઈ ઓથોરીટી છે જ નહીં: મોરબીના ઝૂલતા પુલ કેસની વધુ સુનાવણી કાલે
SHARE
રાજ્યમાં બ્રિજ કે મોટા સ્ટ્રક્ચરના ઇન્સ્પેક્શન માટે કોઈ ઓથોરીટી છે જ નહીં: મોરબીના ઝૂલતા પુલ કેસની વધુ સુનાવણી કાલે
મોરબીમાં જુલતોપુલ તૂટી પડ્યો હતો તે બનાવને લઈને હાઇકોર્ટમાં સુઓમોટો કરવામાં આવી છે જેની સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે ખાસ કરીને વર્તમાન સમયમાં રાજ્યની અંદર બ્રિજ કે પછી મોટા સ્ટ્રક્ચર માટે ઇન્સ્પેક્શન કરવાની કોઈ ફાઇનલ ઓથોરીટી નથી જેથી કરીને તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી અને વધુ સુનાવણી બીજા દિવસે એટ્લે કે મંગળવારે રાખવામા આવેલ છે
મોરબીનો ઝુલતોપુલ ગત તા ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ સાંજના સમયે તૂટી પડ્યો હતો જેથી કરીને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા આ બનાવને લઈને ગુજરાત હાઇકોર્ટમાં સૂઓમોટો દાખલ કરવામાં આવી હતી જેની સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે સકારી વકીલે મોરબી પાલિકાને સુપરસીડ કરવા માટેની પ્રોસીજર ચાલુ છે તેવું જણાવ્યુ હતું તેમજ વર્તમાન સમયમાં રાજયમાં બ્રિજ કે પછી મોટા સ્ટ્રક્ચર માટે કોણ ઇન્સ્પેક્શન કરશે ?, કઈ ઓથોરિટીને કરવાનું ? કોણ તેના માટે જવાબદાર ? તે સહિતની ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારે સરકારી વકીલે કહ્યું હતું કે, સામાન્ય રીતે ચોમાસા પહેલા અને પછીબ્રિજેને માર્ગ મકાન વિભાગ દ્વારા ચેક કરવામાં આવતા હોય છે જો કે, અર્બન ડેવલોપમેન્ટ વિભાગની કોઈ ચોક્કસ ગાઈડ લાઇન નથી જેથી કરીને આગામી દિવસોમાં રાજ્યની અંદર બ્રિજ કે પછી મોટા સ્ટ્રક્ચર માટે ઇન્સ્પેક્શન બાબતની પોલિસી માટેની ચર્ચા કરવામાં આવી હતી અને આ કેસની વધુ સુનાવણી તા ૨૧ ને મંગલવારે રાખવામા આવી છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે