મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ચરિત્રની શંકા કરીને પત્નીને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ નોંધાઇ


SHARE













મોરબીમાં ચરિત્રની શંકા કરીને પત્નીને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ નોંધાઇ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ શેરી નંબર 5 માં રહેતી મહિલાના ચરિત્ર્ય ઉપર શંકા કરીને શારીરિક માનસિક ત્રાસ તેના પતિ દ્વારા આપવામાં આવતો હતો અને નાની નાની બાબતે મેણા ટોણા મારીને ઢીકા પાટુનો માર મારવામાં આવતો હતો તેમજ ગાળો આપવામાં આવતી હતી જેથી કરીને હાલમાં મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ શેરી નંબર 5 માં રહેતી અનિષાબેન હનીફભાઈ અઘામ જાતે મુસ્લિમ (ઉંમર વર્ષ 32) એ હાલમાં તેના પતિ હનીફભાઈ કાસમભાઈ અઘામની સામે મોરબીના મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે તેના પતિ દ્વારા ઘરકામ બાબતે અવારનવાર માર મારીને દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો તેમજ નાની નાની વાતમાં તેને ઢીકાપાટુનો માર મારીને ગાળો આપવામાં આવતી હતી અને ચરિત્ર્યની શંકા વહેમ કરીને શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને ભોગ બનેલ પરિણીતા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલાના પતિ સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News