મોરબીમાં ચરિત્રની શંકા કરીને પત્નીને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ નોંધાઇ
માળીયા મીંયાણાના જુના ઘાંટીલા ગામ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત
SHARE
માળીયા મીંયાણાના જુના ઘાંટીલા ગામ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત
માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામથી મંદરકી ગામ તરફ જવાના રસ્તા વચ્ચે આવતી નર્મદાની કેનાલમાં કોઈ કારણોસર યુવાન ડૂબી ગયો હતો જેથી કરીને કેનાલમાં વહેતા પાણીમાં ડૂબી જવાના કારણે તેનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું જેથી તેના મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે માળિયા ની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે શક્તિ પ્લોટમાં રહેતો સંજયભાઈ રામજીભાઈ અગેચાણીયા જાતે કોળી (ઉમર 32) નામનો યુવાન જુના ઘાટીલા ગામથી મંદરકી ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતી નર્મદાની કેનાલમાં કોઈ કારણોસર પડી ગયો હતો જેથી કરીને નર્મદાની કેનાલમાં વહેતા પાણીમાં ડૂબી જવાથી તેનો ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું અને તેના મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે માળિયા મીયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.









