મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત વાંકાનેરના સરતનપર રોડે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે ઘર પાસેથી ટ્રૉલીની ચોરી કરનાર આરોપી ઝડપાયો


SHARE











મોરબીના બગથળા ગામે ઘર પાસેથી ટ્રૉલીની ચોરી કરનાર આરોપી ઝડપાયો

મોરબી તાલુકાના બગથળા ગામે પારેવડી ચોક પાસેથી અજાણ્યો ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર ટ્રોલીની ચોરી કરી ગયેલ હતો જેથી ૩૦,૦૦૦ રૂપિયાની કિંમતની ટ્રોલીની ચોરી થઈ હોવા અંગેની આધેડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેથી તાલુકા પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં આરોપીને પકડીને ચોરીમાં ગયેલ ટ્રૉલી સહિતનો મુદામાલ કબજે કરેલ છે

મોરબી તાલુકાના બગથળા ગામે પારેવડી ચોક તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા જયંતીભાઈ બાલુભાઈ બોપલિયા જાતે પટેલ (ઉમર ૫૨) એ અજાણ્યા લાલ કલરના ટ્રેક્ટરના ચાલક સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે, અજાણ્યો શખ્સ લાલ કલરનું ટ્રેક્ટર લઈને આવ્યો હતો અને તેના ઘર પાસે તેની માલિકીની ટ્રેક્ટરની ટ્રોલી નં. જીજે ૩ ટી ૬૬૩૫ પાર્ક કરીને મૂકી હતી તે ટ્રેક્ટર ટ્રોલીને ટ્રેક્ટરમાં લગાડીને અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે..! જેથી રૂા.૩૦,૦૦૦ ની કિંમતની ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી થયેલ હોય ભોગ બનેલ આધેડ દ્વારા નોંધાવવામાં આવેલ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને સીસીટીવી તેમજ અન્ય સોર્સથી તપાસ કરવામાં આવતા હાલમાં આ ગુનામાં પોલીસે મુકેશભાઇ બાબુભાઇ પરમાર (૩૭) રહે. હરીપર પાળ તાલુકો લોધીકા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી પોલીસે ચોરી કરેલ ટ્રૉલી તેમજ એક ટ્રેક્ટર મળીને ૩.૩૦ લાખનો મુદામાલ કબજે કરેલ છે આ કામગીરી પીઆઇ કે.એ.વાળાની સૂચના મુજબ પીએસઆઈ વી.જી.જેઠવા, આઇ.એમ અજમેરી, જયદેવસિંહ ઝાલા, જયસુખભાઇ વસીયાણી, દિનેશભાઇ બાવળીયા, દિવ્યરાજસિંહ જાડેજા, રમેશભાઇ મુંધવા, ભગીરથભાઇ લોખીલ, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા, દેવશીભાઇ મોરી અને દિલીપભાઇ ગેડાણીએ કરેલ 






Latest News