મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીના કુલીનગરમાં યુવતીએ જીવન ટૂંકાવ્યું


SHARE













મોરબીના કુલીનગરમાં યુવતીએ જીવન ટૂંકાવ્યું


મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ કુલીનગરમાં રહેતી યુવતીએ પોતાના ઘરની અંદર અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે ડોક્ટરે તેને જોઇ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી યુવતીએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગર-૧ માં રહેતા ઈકબાલભાઈ જામની દીકરી સાયનાબેન (૧૯) એ પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક તેના પરિવારજનો મોરબીમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા જો કે, ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કરી હતી અને આપઘાતના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવામાં નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

હાર્ટ એટેકથી મોત

મૂળ મહારાષ્ટ્રના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે આવેલ સ્ટાર પોલિપેક નામના કારખાનામાં મજૂરી કામ કરતાં અને ત્યાં ઓરડીમાં રહેતા ખૂંદુ મહાનંદુ પાટીલ (૩૭) નામનો યુવાન તેની ઓરડીમાં હતો ત્યારે વહેલી સવારે છ વાગ્યાના અરસામાં તેને હાર્ટ અટેક આવતા તેને તાત્કાલિક કારખાનેદાર નિરવભાઈ રમેશભાઈ ભાગીયા ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ ત્પાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News