મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

વાંકાનેરના ધમલપર ખાતે રણછોડદાસ બાપુની પુણ્યતિથિ ઉજવાશે


SHARE







વાંકાનેરના ધમલપર ખાતે રણછોડદાસ બાપુની પુણ્યતિથિ ઉજવાશે

વાંકાનેર તાલુકાના ધમલપર પાસે રામ ટેકરીએ આવેલ જોગજતી હનુમાનજી ગુફાની જગ્યા આવેલ છે તેમાં ગુરુદેવ રણછોડદાસ બાપુની ૩૭ મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે

ધમલપર પાસે આવેલ જોગજતી હનુમાનજી ગુફાની જગ્યામાં આગામી તા. ૪ ને શનિવારના રોજ રણછોડદાસ બાપુની ૩૭ મી પુણ્યતિથિ નિમિત્તે સવારે ૮ કલાકે મારૂતી યજ્ઞ, સાંજે ૪:૩૦ કલાકે બિડુ હોમાશે, સાંજે ૬ કલાકે મહાપ્રસાદ અને રાત્રે ૧૦ કલાકે સંતવાણી કાર્યક્રમ યોજાશે અને રાતે જે સંતવાણી યોજાશે તેમાં દલસુખભાઈ પ્રજાપતિ, જકનભાઈ વેગડ, ભાવેશભાઈ પટેલ, કશ્યપ ઉસ્તાદ, રાહુલ મકવાણા અને ધ્રુવ ઉસ્તાદ સહિતની ટિમ રમઝટ બોલાવશે જેથી કરીને વધુમાં વધુ લોકોએ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે






Latest News