માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડ ઉપર બીમારીથી કંટાળી અંતિમ પગલું ભરી લેતા યુવાનનું મોત


SHARE













મોરબીના રવાપર રોડ ઉપર બીમારીથી કંટાળી અંતિમ પગલું ભરી લેતા યુવાનનું મોત

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાને બીમારીથી કંટાળી જઈને તેના ઘેર અંતિમ પગલું ભરી લેતા યુવાનનું મોત નિપજયુ હતું.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ શેરી નંબર-૪ માં આવેલ સતવારા બોર્ડિંગની બાજુમાં રહેતા વિનોદભાઈ જીવરાજભાઈ અગેચાણીયા જાતે કોળી નામના ૪૫ વર્ષના યુવાને તેના ઘેર ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નિપજયુ હતું બનાવને પગલે મૃતદેહને પીએમ માટે ખસેડ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવેલી હોય એ ડિવિઝન પોલીસ મથકના જયપાલસિંહ ઝાલા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે મૃતક વિનોદભાઈ કોળી તથા તેમના પત્ની દસેક વર્ષ પહેલાં દાજી ગયા હતા અને જે તે સમયે તેમના પત્નીનું મોત નીપજયુ હતું ત્યારબાદથી છેલ્લા દસેક વર્ષથી મૃતક વિનોદભાઇના પગે દાજી જવાના લીધે સડો રહેતો હોય અને તે અસહ્ય દુખાવાની બીમારીથી લઈને તે કંટાળી જતા તેણે તેમના ઘેર અંતિમ પગલું ભરી લીધું હતું જેના પગલે તેઓનું મોત નીપજયુ હતું.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ઉગાભાઇ ધીરૂભાઈ બારોટ નામના ૨૨ વર્ષના યુવાનને ઉમા ટાઉનશીપ નજીક આવેલ સ્મશાનની પાસે મારામારીના બનાવમાં ઈજા પહોંચી હતી જેથી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો બનાવને પગલે જાણ થતા હાલમાં બી ડિવિઝન પોલીસ દ્વારા આ મારામારીના બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામના વતની કિરણભાઈ ઘનશ્યામભાઈ પટેલ નામના ૪૧ વર્ષીય યુવાનને ધાંગધ્રાના હરીપર ગામે આવેલ ભાગ્યોદય હોટલ પાસે બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બનેલ તે બનાવમાં ઇજા પહોંચતા તેને અત્રેની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News