મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

ટંકારામાં સજનપર ગામની શાળામાં એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ યોજાયો


SHARE















ટંકારામાં સજનપર ગામની શાળામાં એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ યોજાયો

એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ આખા દેશમાં યોજાઇ રહ્યો છે જેનો હેતુ બાળકોમાં દેશના જુદા જુદા રાજ્યોની સાંસ્કૃતિક, સાહિત્યિક, ભૌગોલિક, ઐતિહાસિક અને સામાજિક બાબતો વિશે જાણવાનો અને સમજવાનો છે તેમજ એકબીજા રાજ્યની સંસ્કૃતિ પ્રત્યે આદરભાવ કેળવે તેઓ એક ઉમદા હેતુ છે અને એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ગુજરાત રાજ્યનું છત્તીસગઢ રાજ્ય સાથે જોડાણ થયેલ છે. જે અંતર્ગત ટંકારા તાલુકાની શ્રી સજનપર પ્રાથમિક શાળામાં શાળા કક્ષાએ ધો ૬ થી ૮ ના બાળકોને છત્તીસગઢ રાજ્યની સંસ્કૃતિ તેમજ વિવિધ બાબતો વિશે સમજાવી એક ભારત શ્રેષ્ઠ ભારત ક્વિઝનું વાલીઓ સમક્ષ આયોજન કરવામાં આવ્યું હતું આ ક્વિઝમાં બાળકોની પસંદગી કરી ત્રણ જુદી જુદી ટીમો વચ્ચે જુદા જુદા રાઉન્ડ રમાડવામાં આવ્યા હતા  જેમાં છતીસગઢ અને ગુજરાત  રાજ્યની  વિવિધ  બાબતો  વિશે  પ્રશ્નો પૂછવામાં આવેલ આ બધા રાઉન્ડના અંતે ટીમ  B વિજેતા જાહેર કરવામાં આવી હતી જેમાં રાણીપા ગર્વ જયંતિભાઈ ધો., મકવાણા જતીન લાલજીભાઈ ધો. ૭, અંદોદરીયા કૃપાલ દેવજીભાઈ ધો. ૮ વિજેતા જાહેર થયેલ છે. જેમને શાળા  પરીવારે  અભિનંદન પાઠવેલ છે. આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા ભારતીબેન દેત્રોજાએ કરેલું જેમાં નિર્ણાયક અને સ્કોરર તરીકે કાવર માયાબેન અને વિરમગામમાં મીનાબેને જવાબદારી સંભાળી હતી તેમજ શાળાના સમગ્ર સ્ટાફ મિત્રોએ સાથ સહકાર આપેલો હતો જે બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ સમગ્ર સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે






Latest News