મોરબીના રાજપર નજીક સર્જાયેલ જીવલેણ અકસ્માતના ગુનામાં આરોપી ટ્રેક્ટર ચાલકની ધરપકડ
SHARE
મોરબીના રાજપર નજીક સર્જાયેલ જીવલેણ અકસ્માતના ગુનામાં આરોપી ટ્રેક્ટર ચાલકની ધરપકડ
મોરબીના રાજપર રોડ ઉપર આવેલ મંદિર પાસે ટ્રેક્ટર ચાલાકે પોતાનું ટ્રેક્ટર કોઈપણ જાતના ઇન્ડીકેટર કે સંકેત રાખ્યા વગર ત્યાં ઉભુ રાખ્યુ હતા અને ત્યારે બાઈક લઈને આવી રહેલ યુવાન તે ટ્રેક્ટરની ટ્રોલીમાં અથડાયો હતો જેથી કરીને તેને શરીરે ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી મૃત્યુ પામેલ યુવાનના કાકા દ્વારા ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના થોરાળા ગામે રહેતા રાણાભાઇ રાઠોડનો દીકરો કાનાભાઈ રાણાભાઇ રાઠોડ (૩૦) પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એબી ૭૧૯૫ લઈને મોરબીના રાજપર રોડ ઉપર આવેલ હનુમાન મંદિર પાસે ધર્મેન એસ્ટેટના બોર્ડ પાસે કાચા રસ્તા ઉપર થી પસાર થતો હતો ત્યારે ટ્રેક્ટરના ચાલકે પોતાનું ટ્રેક્ટર અને ટ્રોલી કોઈપણ જાતના ઈન્ડિકેટર કે સંકેત આપ્યા વગર ત્યાં ઉભા રાખ્યા હતા જેથી કરીને પાછળથી આવી રહેલ કાનાભાઈ રાઠોડ very અથડાયા હતા જેથી કરીને તેને માથાના ભાગે અને શરીરને ગંભીર ઈજા થઇ હોવાથી કાનાભાઈ રાઠોડનુ મોત નીપજ્યું હતું અને ટ્રેક્ટર ચાલક અકસ્માત સર્જાયા બાદ સ્થળ ઉપરથી પોતાનું ટ્રેક્ટર લઈને નાસી ગયો હતો જેથી મૃત્યુ પામેલા યુવાનના કાકા ખેંગારભાઈ મોહનભાઈ રાઠોડએ મહેન્દ્રા કંપનીના ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી વિષ્ણુ દરૂભાઈ પેંદા (૧૯) રહે. મૂળ એમપી હાલ રહે. રાજપર ગામની સીમમાં શ્રીરામ સિરામિક બ્લોકની બાજુમાં વાળની પીએસઆઈ બી.એ. ગઢવીએ ધરપકડ કરેલ છે









