મોરબીના ઝુલતા પુલ કેસમાં જયસુખભાઈ પટેલની વચગાળાના જામીન માટેની અરજીનો સાતમીએ ઓર્ડર
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ભાજપની નીતિ અને મોંઘવારીનો કરાયો વિરોધ
SHARE
આજ રોજ આમ આદમી પાર્ટી મોરબી ટીમ દ્વારા જે ભાજપ સરકારની તાનાશાહી વૃત્તિ તેમજ મોંઘવારી વિરૂદ્ધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર તમામ કાર્યકર્તાઓ જોડાયા હતા. અને યુવા નેતા પંકજ રાણસરીયા દ્વારા ભાજપની જાટકણી કાઢવામાં આવી હતી તેમજ ભાજપ સરકારની રંગ બદલાવવાની ટેવનો સખત વિરોધ કર્યો હતો. જ્યારે જ્યારે ચુંટણી હોય ત્યારે ભાજપ મતદારોના મત લેવા માટે થઈને લોભામણી લાલચો આપતું હોય છે અને ચુંટણી પૂરી થતાં તરત જ પોતાનું તાનાશાહી નીતિ અને ભ્રષ્ટાચારી રૂપ બતાવતું હોય છે. જ્યારે પણ મોરબી જીલ્લાના મતદારોને ભાજપ દ્વારા તકલીફ પડશે ત્યારે આમ આદમી પાર્ટી એમની સાથે ખંભે ખંભો મિલાવી ને ઉભી રહેશે.